Wednesday, 30 Apr, 2025
spot_img
Wednesday, 30 Apr, 2025
HomeTOP STORIESસાવધાન! ભારતમાં જીવલેણ સ્ક્રબ ટાઈફસનો વધી રહ્યો છે પ્રકોપ

સાવધાન! ભારતમાં જીવલેણ સ્ક્રબ ટાઈફસનો વધી રહ્યો છે પ્રકોપ

Share:

કોરોના બાદ વધુ એક રોગ જીવલેણ બનીને ભારતમાં હાહાકાર મચાવી રહ્યો છે. જેનાથી મોતનો આંકડો દિવસેને દિવસે બમણો થઇ રહ્યો છે. કયો છે આ રોગ? જેણે હાહાકાર મચાવ્યો છે. શું ખરેખર તે ખતરનાક છે? શા માટે આ રોગે સરકારની પણ ચિંતામાં વધારો કર્યો છે?

વર્ષો પહેલા મહાન અમેરિકન જનરલ ડગ્લાસ મેકઆર્થરના જીવનચરિત્રકારે પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ન્યુ ગિનીમાં ફેલાયેલા એક વિચિત્ર અને અજાણ્યા રોગ વિશે લખ્યું હતું, જે મોટી સંખ્યામાં અમેરિકન સૈનિકોને ખાઈ રહ્યો હતો. સૈનિકો ભારે તાવથી પીડાઈ રહ્યા હતા અને એ તાવ કેટલાક સપ્તાહ સુધી ઘટ્યો ન હતો. તાવ માટેની દરેક દવા બિનઅસરકારક રહી હતી અને એક મહિનામાં દર્દીનું મૃત્યુ પણ થયું હતું. એક સમયે પરિસ્થિતિ એવી બની હતી કે રોગથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા યુદ્ધના મેદાનમાં મૃત્યુ પામેલા લોકો કરતાં ઘણી વધી ગઈ હતી. એ જ રોગે ફરી એક વાર ભારતમાં દસ્તક દીધી છે.. નામ છે.. સ્ક્રબ ટાઈફસ..

આ સ્ક્રબ ટાઈફસ નામના ગંભીર ચેપથી ઘણા વર્ષોથી લોકો પીડાઈ રહ્યા છે, પરંતુ તાજેતરના સમયમાં હિમાચલ અને ઓડિશામાં તેનો પ્રકોપ અચાનક વધી ગયો છે.

સ્ક્રબ ટાઈફસનો વધતો પ્રકોપ
હિમાચલ પ્રદેશમાં અત્યારસુધી નોંધાયા 973 કેસ
હિમાચલ પ્રદેશમાં 10 દર્દીઓના મોત
ઓડિશામાં 5 દર્દીઓના મોત

હવે આપને અનેક સવાલો થતા હશે કે સ્ક્રબ ટાઈફ્સ છે શું? કેવી રીતે થાય છે? એ થાય તો દર્દીને શું થાય? કેટલો ખતરનાક નીવડી શકે છે? એનો ઈલાજ શું છે?

સૌ પ્રથમ જાણીએ કે સ્ક્રબ ટાઈફ્સ શું છે?

સ્ક્રબ ટાઈફસ એક પ્રકારનું બેક્ટેરિયલ ઈન્ફેક્શન છે
ઓરિએન્ટિયા સુતસુગામુશી નામના બેક્ટેરિયાથી ફેલાય છે
આ જંતુ ઘાસ, ઝાડી, ઉંદર, સસલા પર જોવા મળે છે
વરસાદ બાદ ભેજના કારણે આ જંતુની સંખ્યા વધે છે

જંતુના ડંખ ઉપરાંત, આ બેક્ટેરિયા જંતુના મળ સાથે સંપર્ક દ્વારા માનવ શરીરમાં પણ ફેલાઈ શકે છે. ઉપરાંત, જો તમે તે જગ્યાને ખંજવાળ કરો છો અથવા ખંજવાળ કરો છો જ્યાં જૂ અથવા જંતુ કરડ્યું હોય, તો ત્વચાના સંપર્કમાં આવતા બેક્ટેરિયા તમારા લોહી સુધી પહોંચી શકે છે. આ બેક્ટેરિયા બિનપરીક્ષણ કરાયેલ લોહી ચઢાવીને અથવા ચેપગ્રસ્ત સોયનો ઉપયોગ કરીને પણ શરીરની અંદર પહોંચી શકે છે.

હવે જાણીએ આ ખતરનાક સ્ક્રબ ટાઈફ્સના લક્ષણો

જંતુ કરડ્યાના 10 દિવસમાં રોગ ગંભીર બને છે
સ્ક્રબ ટાઈફસમાં ડેન્ગ્યુ જેવા લક્ષણો જોવા મળે છે
માથાનો દુખાવો, શરીર પર ફોલ્લીઓ, તાવ સાથે શરદી
જંતુ કરડે તે ડંખના સ્થળે ઘા અથવા ખંજવાળ

શરીરના જે ભાગમાં ચિગર્સ કરડે છે ત્યાં ઘેરા રંગના સ્કેબ જેવો ઘા બને છે. વધુમાં, શરીર પર લાલ ફોલ્લીઓ અથવા ફોલ્લીઓ દેખાવા લાગે છે. ચેપ લાગ્યા પછી એક અઠવાડિયામાં લક્ષણો દેખાવા લાગે છે. જો આ રોગની વહેલી તકે સારવાર કરવામાં ન આવે તો તે શરીરના ઘણા ભાગોમાં ફેલાઈ શકે છે. જેના કારણે જીવ ગુમાવવાનો પણ ભય રહે છે. જો આમાંના કોઈપણ લક્ષણો દેખાય, તો તેને અવગણવું જોઈએ નહીં અને તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. કોઈપણ રીતે, કોઈ પણ સંજોગોમાં, જો તાવ ચાર દિવસથી વધુ ચાલે છે, તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. સ્ક્રબ ટાઈફસ જેવા રોગો જોખમના નિશાનને પાર કરે છે કારણ કે લોકો તેને સામાન્ય તાવ માને છે અને ક્રોસિન અથવા પેરાસિટામોલ લઈને પોતાની સારવાર કરવાનો પ્રયાસ કરે છે.

સવાલ એ થાય કે આ જીવલેણ રોગનું નિદાન શું? તો જણાવીએ કે અન્ય ઘણા બેક્ટેરિયલ રોગોની જેમ, સ્ક્રબ ટાયફસનું નિદાન લેબોરેટરીમાં સેરોલોજી અને પીસીઆર પરીક્ષણો દ્વારા કરી શકાય છે. આ રોગ માટે કોઈ રસી અસ્તિત્વમાં નથી, જોકે સામાન્ય રીતે ચેપ સામેની લડાઈમાં ડોક્સીસાયક્લિન સાથે એન્ટિબાયોટિક સારવારની ભલામણ કરવામાં આવે છે. સારવારમાં વિલંબ આ રોગના દર્દીઓ માટે જોખમી છે કારણ કે તે અંગ નિષ્ફળતા અને વધુ ઘાતક પરિણામો તરફ દોરી શકે છે.

સ્ક્રબ ટાઈફસનું નિદાન અને સારવાર
લેબોરેટરીમાં સેરોલોજી, PCR ટેસ્ટથી નિદાન
સ્ક્રબ ટાઈફસ માટે કોઈ રસી અસ્તિત્વમાં નથી
એન્ટિબાયોટિક સારવારની કરાય છે ભલામણ
સારવારમાં વિલંબ દર્દીઓ માટે ઘણી જોખમી

ઉપાય એ છે કે જંગલ અને વધુ હરિયાળી જગ્યાએ ચોમાસા સમયે લાંબા કપડાં પહેર્યા વિના જવાનું ટાળવું.. જો કોઈ જંતુ કરડે છે તો તરત ચોખા પાણીથી તે જગ્યાને ધોઈ લેવું. સ્ક્રબ ટાઈફ્સની કોઈ રસી નથી, અને આ રોગ કોઈ મનુષ્યને થયો હોય એના સંપર્કમાં અન્ય મનુષ્યને પણ થઇ શકે છે એટલે સાવધાની એ જ રામબાણ ઉપાય છે.


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments