Wednesday, 30 Apr, 2025
spot_img
Wednesday, 30 Apr, 2025
HomeLIFESTYLE NEWSકેવી રીતે રહે છે ગર્ભાવસ્થા ? જાણો સમાગમની પ્રક્રિયા

કેવી રીતે રહે છે ગર્ભાવસ્થા ? જાણો સમાગમની પ્રક્રિયા

જો આપ ગર્ભાવસ્થાથી બચવા માગતા હોવ તો સૌથી સરળ, સસ્તો અને સારો વિકલ્પ નિરોધ છે. સમાગમ દરમિયાન નિરોધના ઉપયોગથી ગર્ભાવસ્થાને રોકી શકાય છે. આ ઉપરાંત કોપર ટી અને પુરુષ નસબંધી જેવા વિકલ્પ પણ ઉપલબ્ધ છે.

Share:

દાંપત્ય જીવનનું સૌથી મહત્વનું પાસુ છે શારિરીક સંબંધ, જેને સામાન્ય ભાષામાં સમાગમ અથવા સેક્સ કહેવાય છે. આ શારિરીક કસરત લગ્ન જીવન પછીનો સૂવર્ણ કાળ માનવામાં આવે છે, જેના ફળસ્વરૂપ સંતાનપ્રાપ્તિનુ સુખ મળે છે. હાલની જીવનશૈલીમાં દરેક પતિપત્નીને સેક્સ અંગેની જાણકારી હોય જ છે. પરંતુ એક સંશોધન કહે છે કે 50 ટકાથી વધુ દંપત્તિઓને માતાપિતા કેવી રીતે બનાય છે તે અંગેની યોગ્ય અને પાયાની જાણકારી હોતી જ નથી.

માસિક ચક્ર સાથે ગર્ભાવસ્થાનું કનેક્શન

પીરિયડ સગર્ભાવસ્થા સાથે સંબંધિત છે એ તો દરેક વ્યક્તિ જાણે જ છે, પરંતુ ઘણા ઓછા લોકો છે કે, સેફ પીરિયડ દરમિયાન સેક્સ માણવું એ ક્યારેક કૂદરતી ગર્ભનિરોધક તરીકે પણ કામ કરે છે, માટે સેક્સ પહેલા આપને આ માસિક ચક્રને સમજવું ખૂબ જ જરૂરી છે. તમારા માટે આ સુરક્ષિત સમયગાળો શોધવો મહત્વપૂર્ણ છે અને આ માટે તમારે તમારા માસિક ચક્રને સમજવું પડશે.

સેક્સ માણવું છે પરંતુ ગર્ભવતી બનવા નથી માગતા

આપને શારિરીક સંબંધ બાંધવામાં ખૂબ જ મજા આવે છે અને આપ તેને રોજેરોજ માણવા ઇચ્છો છો પરંતુ ગર્ભવતી થવા નથી માગતા, તો તમારા માટે તમારી સેક્સ જાગૃતિનીપ્રક્રિયાને સમજવી ખૂબ જ જરૂરી છે. જે તમને તમારા માસિકચક્રનો અંદાજ કાઢવામાં મદદ કરશે. જેના થકી આપ આપના   ઓવ્યુલેશનનો સમય જાણી શકશો. ઓવ્યુલેશન એટલે શું ? તેનો અર્થ શું થાય આવો જાણીએ..

ઓવ્યુલેશન એટલે શું ?

ઓવ્યુલેશન સ્ત્રીના શરીરમાં એક માસિક પ્રક્રિયા છે. જે સમય દરમિયાન  સ્ત્રી ગર્ભ ધારણ કરવાની સંભાવના સૌથી પ્રબળ હોય છે. ઓવ્યુલેશન પ્રક્રિયા સમયગાળાની શરૂઆતના બે અઠવાડિયા પહેલા થાય છે. જ્યારે સ્ત્રીના અંડાશયમાંથી ઇંડા બહાર આવે છે. આ સ્થિતિમાં આ પદ્ધતિને ઓવ્યુલેશન કહેવામાં આવે છે.

ગર્ભવતી ન થવું હોય તો આટલું કરો

જ્યારે પુરુષના શુક્રાણુ સ્ત્રીના ઇંડાને મળે છે, ત્યારે ગર્ભાવસ્થા થાય છે. હવે આ આખી પ્રક્રિયાની વાત કરીએ તો સ્ત્રીના અંડાશયમાંથી ઈંડા નીકળે છે, જે શરીરમાં માત્ર 12 થી 24 કલાક જ જીવિત રહે છે, પરંતુ પુરુષોના શુક્રાણુ 3થી 5 દિવસ સુધી જીવી શકે છે. સામાન્ય રીતે, સ્ત્રીઓનું માસિક ચક્ર 28 દિવસનું હોય છે, અને ઓવ્યુલેશન એટલે કે ઇંડા છોડવાની પ્રક્રિયા લગભગ 12, 13, 14 દિવસની આસપાસ થાય છે. આ દરમિયાન જો ઇંડા શુક્રાણુને મળે છે, તો ગર્ભાવસ્થા થાય છે.

માસિક દરમિયાન કેવી રીતે ગર્ભવતી બનશો?

ચોંકાવનારી પરંતુ સત્ય છે કે ઘણી સ્ત્રીઓના શરીરમાં ઓવ્યુલેશન દરમિયાન પણ રક્તસ્ત્રાવ થાય છે અથવા ક્યારેક યોનિમાર્ગમાંથી રક્તસ્ત્રાવને ભૂલથી પીરિયડ્સ સમજી લેવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો તમને લાગે કે પીરિયડ્સ ચાલી રહ્યું છે અને પ્રોટેક્શન વિના સેક્સ કરવામાં આવે છે, તો ગર્ભવતી થવાની શક્યતાઓ વધી જાય છે.

પુરૂષ દ્વારા સ્ખલન બાદ,શુક્રાણુ સ્ત્રીના શરીરમાં 3 દિવસ એટલે કે 72 કલાક સુધી જીવિત રહી શકે છે. આવી સ્થિતિમાં, જો પીરિયડના અંતના દિવસોમાં પ્રોટેક્શન લીધા વગર સેક્સ કરવામાં આવે છે, તો ગર્ભાવસ્થાની સંભાવના રહે છે.

કોન્ડોમનો ઉપયોગ બેસ્ટ ઓપ્શન છે

જો આપ ગર્ભાવસ્થાથી બચવા માગતા હોવ તો સૌથી સરળ, સસ્તો અને સારો વિકલ્પ નિરોધ છે. સમાગમ દરમિયાન નિરોધના ઉપયોગથી ગર્ભાવસ્થાને રોકી શકાય છે. આ ઉપરાંત કોપર ટી અને પુરુષ નસબંધી જેવા વિકલ્પ પણ ઉપલબ્ધ છે.


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments