ભારતીય હવામાન વિભાગ (IMD) એ Monsoon 2025 માટે મંગળવારે કહ્યું કે આ વખતે જૂનથી સપ્ટેમ્બર સુધીનું ચોમાસું સામાન્ય કરતાં સારું રહેશે. હવામાન વિભાગ 104 થી 110 ટકા વચ્ચેના વરસાદને સામાન્ય કરતા સારો માને છે. આ પાક માટે સારો સંકેત છે. IMDના વડા મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે 2025માં 105% એટલે કે 87 સેમી વરસાદ થઈ શકે છે. 4 મહિનાની ચોમાસાની સીઝન માટે Long Period Average (LPA) 868.6 mm એટલે કે 86.86 cm છે. એટલે કે ચોમાસાની ઋતુમાં કુલ આટલો વરસાદ પડવો જોઈએ.
મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને તેલંગાણા સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા છે. જ્યારે બિહાર, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, તમિલનાડુ અને પૂર્વોત્તર રાજ્યોના ભાગોમાં સામાન્યથી ઓછો વરસાદની અપેક્ષા છે. ચોમાસું 1 જૂનની આસપાસ કેરળ થઈને આવે છે. 4 મહિનાના વરસાદ પછી, એટલે કે સપ્ટેમ્બરના અંતમાં, ચોમાસું રાજસ્થાન થઈને પાછું આવે છે. તે 15 થી 25 જૂનની વચ્ચે ઘણા રાજ્યોમાં પહોંચે છે.
અલ નિનો છે શું?
અલ નીનો એ આબોહવાની પેટર્ન છે. આમાં દરિયાનું તાપમાન 3 થી 4 ડિગ્રી વધે છે. તેની અસર 10 વર્ષમાં બે વાર જોવા મળે છે. તેની અસરને કારણે, ભારે વરસાદવાળા વિસ્તારોમાં ઓછો વરસાદ પડે છે અને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં વધુ વરસાદ પડે છે. અલ નીનોને કારણે ભારતમાં ચોમાસું ઘણીવાર નબળું રહે છે. જેના કારણે દુષ્કાળની સ્થિતિ સર્જાય છે.
આ પણ વાંચો – National Herald Case: સોનિયા અને રાહુલ ગાંધીની મુશકેલીમાં વધારો

India Meteorological Department ચીફે કહ્યું કે આ વર્ષે અલ નીનોની સ્થિતિ વિકસિત થશે નહીં. દેશના અનેક ભાગોમાં અત્યારે આકરી ગરમી પડી રહી છે. એપ્રિલ અને જૂનમાં હીટવેવના દિવસોની સંખ્યામાં વધારો થશે. તેનાથી પાવર ગ્રીડ પર દબાણ વધશે અને પાણીની અછત સર્જાશે.દેશના 52 ટકા કૃષિ વિસ્તાર ચોમાસા પર નિર્ભર છે. પાણીના સ્ત્રોતની અછત ચોમાસામાં પૂરી થાય છે. આવી સ્થિતિમાં સામાન્ય ચોમાસું એક મોટી રાહતના સમાચાર છે. હવામાનશાસ્ત્રીઓ કહે છે કે હવે ચોમાસામાં વરસાદના દિવસોની સંખ્યા ઘટી રહી છે અને ભારે વરસાદ વધી રહ્યો છે. આ વારંવાર દુષ્કાળ અને પૂર તરફ દોરી જાય છે.