ભારતીય કુસ્તીબાજ Vinesh Phogat પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગઈ છે. બુધવારે સવારે, Vinesh Phogat નું વજન તેના નિર્ધારિત 50 કિલોગ્રામ કરતાં 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી ઓલિમ્પિક એસોસિએશને તેણીને ફ્રી સ્ટાઇલ મહિલા કુસ્તી માટે ગેરલાયક ઠેરવી હતી. ભારતીય ઓલિમ્પિક સંઘે પણ આ વાતની પુષ્ટિ કરી છે.
હવે વિનેશ બુધવારે રાત્રે યોજાનારી 50 કિલોગ્રામ મહિલા કુસ્તીની ફાઇનલ રમી શકશે નહીં. તેને કોઈ મેડલ પણ નહીં મળે. સૌથી મુશ્કેલ બાબત એ છે કે આ નિર્ણયની અપીલ પણ કરી શકાતી નથી. વિનેશ પ્રથમ વખત 50 કિગ્રા વર્ગમાં રમી રહી હતી. પહેલા તે 53 કિગ્રામાં રમતી હતી.
ઓલિમ્પિકમાંથી બહાર થયા બાદ વિનેશની તબિયત બગડી હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યારે કોચ વિજય દહિયા તેને મળવા આવ્યા ત્યારે વિનેશે તેને કહ્યું – ‘તે ખરાબ નસીબ હતું કે અમે મેડલ ગુમાવી દીધા, પરંતુ આ રમતનો એક ભાગ છે.’
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષાને કુસ્તીબાજની મદદ કરવા માટેના રસ્તાઓ શોધવા કહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉષાને આ મામલે વિરોધ નોંધાવવા પણ કહ્યું છે.
આ પણ વાંચો: Wayanad: ભૂસ્ખલન પછી શું છે સ્થિતિ? અમિત શાહે કહ્યું…