Pahalgam Terror Attack બાદ PM House માં દોઢ કલાક સુધી ચાલેલી ઉચ્ચસ્તરીય બેઠક પૂરી થઈ ગઈ છે. આ બેઠકમાં પ્રધાનમંત્રી Narendra Modi સાથે રક્ષા મંત્રી Rajnath Singh, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ Anil Chauhan, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર Ajit Doval અને ત્રણેય સશસ્ત્ર દળોના વડા પણ હાજર હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે ત્રણેય દળોને આતંકવાદ સામે લડવા માટે છૂટ આપી છે. સમાચાર એજન્સી PTI ના જણાવ્યા અનુસાર, PM મોદીએ કહ્યું, ‘આતંકવાદને યોગ્ય ફટકો આપવાનો અમારો રાષ્ટ્રીય સંકલ્પ છે. અમને ભારતીય સશસ્ત્ર દળોની વ્યાવસાયિક ક્ષમતાઓમાં પૂરો વિશ્વાસ છે. સેનાએ આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહીની પદ્ધતિ, લક્ષ્ય અને સમય નક્કી કરવો જોઈએ. PM મોદીએ મંગળવારે ત્રણેય સેનાના વડા NSA અજીત ડોભાલ, CDS અનિલ ચૌહાણ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ વાત કહી.
આ પણ વાંચો – Chandola Talav: ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલિશન
RSSના વડા મોહન ભાગવતે મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah પણ Mohan Bhagwat સાથેની બેઠકનો ભાગ હતા. વિદેશ મંત્રી એસ. જયશંકર વિશ્વભરના દેશો સાથે વાતચીત કરી રહ્યા છે. તેમણે ટ્વીટ કર્યું કે મંગળવારે 9 કલાકમાં 9 દેશોના વિદેશ મંત્રીઓ સાથે ફોન પર વાતચીત કરી.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે જાહેરાત કરી હતી કે પહલગામ હુમલામાં માર્યા ગયેલા રાજ્યના લોકોના આશ્રિતોને 50-50 લાખ રૂપિયા આપવામાં આવશે. રાજ્ય સરકાર આશ્રિતોને નોકરી પણ આપશે. આ હુમલામાં મહારાષ્ટ્રના 6 નાગરિકો માર્યા ગયા હતા.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી નાયબ પ્રતિનિધિ યોજના પટેલે કહ્યું કે પહેલગામ હુમલો મુંબઈમાં 26/11ના હુમલા કરતા પણ ખરાબ હતો. આવા હુમલાની અસર પીડિતો, તેમના પરિવારો અને સમાજ પર પડે છે તે ભારત સંપૂર્ણપણે સમજે છે. પહેલગામ હુમલા બાદ દુનિયાભરના નેતાઓ તરફથી અમને મજબૂત સમર્થન મળ્યું છે. આ દર્શાવે છે કે વિશ્વ આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સનું વલણ ધરાવે છે.