ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ Padma Awards 2025ના એલાન બાદ સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં પુરસ્કાર વિતરણ સમારોહ યોજાયો. President Droupadi Murmu એ પદ્મ પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કર્યા હતા. પદ્મ પુરસ્કારોનું વિતરણ બે તબક્કામાં કરાશે. જેમાં આજે 71 વિભૂતિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં 4 પદ્મવિભૂષણ, 10 પદ્મવિભૂષણ અને 57 પદ્મશ્રી સામેલ છે. જ્યારે બાકીના 68 પદ્મ વિજેતાને બીજા તબક્કામાં આગામી મહિને સન્માનિત કરાશે.
આ પણ વાંચો – Obscene Content: ડિજિટલ પ્લેટફોર્મ પર અશ્લીલતાને લઈ સુપ્રીમ કોર્ટનું કડક વલણ
આ વર્ષે 139 હસ્તીઓની પસંદગી પદ્મ પુરસ્કારો માટે કરાઈ હતી, જેમાં 7 પદ્મ વિભૂષણ, 19 પદ્મ ભૂષણ અને 113 પદ્મશ્રી સામેલ છે. જેમાં ભોજપુરી સિંગર શારદા સિન્હા, સુઝુકી કંપનીના ઓસામુ સુઝુકી(મરણોપરાંત), સુશીલ કુમાર મોદી (મરણોપરાંત), આર. અશ્વિન, નંદમુરી બાલકૃષ્ણા, એલ. સુબ્રમણ્યમ, અરુંધતિ ભટ્ટાચાર્ય, પવન કુમાર ગોયનકા, મનોહર જોશી, ડી. નાગેશ્વર રેડ્ડી અને એમ.ટી.વાસુદેવન નાયર(મરણોપરાંત)નું નામ પણ સામેલ છે. આ વખતે પુરસ્કાર મેળવનારા લોકોમાં 23 મહિલાઓ છે. યાદીમાં 10 વિદેશી, NRI, PIO શ્રેણીના વ્યક્તિ સામેલ છે.
સાથે જ ગુજરાતની હસ્તીઓને પણ દેશના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા હતા. જેમાં વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાતના Pankaj Patel ને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ ગુજરાતના પ્રોફેસર Ratan Kumar Parimoo ને કલા ક્ષેત્રમાં પદ્મ શ્રી થી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રોફેસર Chandrakant Sheth ને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પદ્મ શ્રી મરણોપરાંતથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ Tushar Shukla ને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમજ સમાજ સેવા માટે Suresh Soni ને પદ્મ શ્રી થી સન્માનિત કરવામાં આવ્યા હતા.