Wednesday, 30 Apr, 2025
spot_img
Wednesday, 30 Apr, 2025
HomeNATIONALDRDOની મિસાઇલ બનશે દુશ્મનો માટે 'પ્રલય'

DRDOની મિસાઇલ બનશે દુશ્મનો માટે ‘પ્રલય’

આ મિસાઈલનું વજન 5 ટન છે. આમાં 500 થી 1000 કિલોગ્રામ સુધીના પરંપરાગત હથિયારો લગાવી શકાય છે.

Share:

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશને પ્રથમ વખત ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઈલ પ્રલયનું સફળ પરીક્ષણ કર્યું છે.

પ્રલય મિસાઈલ 150 થી 500 કિમીના અંતર સુધીના દુશ્મનના લક્ષ્યોને નષ્ટ કરી શકે છે. એટલે કે જ્યારે સરહદની નજીકથી ગોળીબાર કરવામાં આવશે, ત્યારે દુશ્મનના બંકરો, તોપો, ઠેકાણા વગેરેને નષ્ટ કરવામાં સમય લાગશે નહીં.પ્રલય ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઈલ છે. તે ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ હિટિંગ માટે રચાયેલ છે. DRDOએ તેને ભારતની વિશ્વસનીય પૃથ્વી મિસાઈલ સિસ્ટમ પર બનાવ્યું છે. DRDOએ 22 ડિસેમ્બર 2021ના રોજ સવારે 10.30 વાગ્યે ઓડિશાના એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી આ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું..

આ મિસાઈલનું વજન 5 ટન છે. આમાં 500 થી 1000 કિલોગ્રામ સુધીના પરંપરાગત હથિયારો લગાવી શકાય છે. આ એક એવી એક મિસાઇલ છે જે ઇનર્શિયલ ગાઇડન્સ સિસ્ટમ પર ચાલે છે..પ્રલય મિસાઇલ વિકસાવવાની મંજૂરી માર્ચ 2015માં આપવામાં આવી હતી. તેની માટે 332.88 કરોડનું બજેટ મંજૂર કરાયું હતુ. પ્રલય મિસાઈલના લક્ષ્યને નષ્ટ કરવાની ચોકસાઈ 10 મીટર એટલે કે 33 ફૂટ છે. મતલબ કે જો આ મિસાઈલ ટાર્ગેટથી 33 ફૂટની ત્રિજ્યામાં પડે છે, તો તે એટલું નુકસાન કરશે જેટલું તે ચોક્કસ લક્ષ્ય પર પડ્યું હોત તો તેને થયું હોત. નાનું અંતર રાખવાનો ફાયદો એ છે કે જો તમે તેને દેશની પશ્ચિમ અથવા પૂર્વ અથવા ઉત્તરીય સરહદ પર તૈનાત કરો છો, તો ફક્ત તે વિસ્તારનો નાશ થશે, જેટલો તમને જરૂર છે. બિનજરૂરી નુકસાન પહોંચાડશે નહીં.


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments