Monday, 23 Jun, 2025
spot_img
Monday, 23 Jun, 2025
HomeGUJARAT NEWSVijay Rupani: રાજકીય સન્માન સાથે અપાઈ વિદાય

Vijay Rupani: રાજકીય સન્માન સાથે અપાઈ વિદાય

Share:

Ahmedabad Plane Crash માં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani નું નિધન થયું હતું. 15 જૂને પ્લેન ક્રેશના 70 કલાક પછી વિજય રૂપાણીનું DNA મેચ થયું હતું. ત્યાર બાદ સોમવારે રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. દીકરા ઋષભે પિતા વિજય રૂપાણીને અગ્નિદાહ આપ્યો હતો. આ દરમિયાન Amit Shah, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ પણ હાજર રહ્યા હતા.

આ પહેલાં બપોરના 11 વાગ્યે રૂપાણી પરિવારને વિજયભાઈનો પાર્થિવદેહ સોંપવામાં આવ્યો હતો. ત્યાર બાદ 2.30 વાગ્યે પરિવાર હીરાસર એરપોર્ટ પહોંચ્યો હતો. જ્યાંથી તેમને ગ્રીનલેન્ડ ચોકડી અને ત્યાર બાદ વિવિધ વિસ્તારો થઈને નિર્મલા રોડ પરની પ્રકાશ સોસાયટીમાં આવેલા તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યા હતા.

Rajkot સ્થિત નિવાસસ્થાને વિજયભાઈ રૂપાણીને અંતિમ વિદાય આપવા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપાના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, બિહારના સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, ગુજરાત સરકારના મંત્રીઓ, પક્ષના સંગઠનના પદાધિકારીઓ અને સિનિયર આગેવાનોએ ઉપસ્થિત રહી રૂપાણીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યાર બાદ તેમના નિવાસસ્થાનેથી 7.40 વાગ્યે સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી.

આ પણ વાંચો – ગુજરાતમાં વિમાન ક્રેશના આંસુ નથી લુછાયા, અને કેદારનાથમાં Helicopter Crash

ત્યાર બાદ 9.40 વાગ્યે સ્મશાનયાત્રા રામનાથપરા સ્મશાન પહોંચી હતી. જ્યાં વિજય ભાઈ અમર રહોના નારા લાગ્યા હતા. તેમજ રાજકોટવાસીઓ તેમના પ્રિય નેતા વિજય રૂપાણીના અંતિમ દર્શન કરવા અને શ્રદ્ધાંજલિ આપવા માટે લાઇનો લગાવી હતી. વરસતા વરસાદમાં પણ વિજયભાઈને વિદાય આપવા લોકોની ભીડ જામતી જતી હતી. એરપોર્ટથી નિવાસસ્થાન તેમજ નિવાસસ્થાનેથી રામનાથ પરા સ્મશાન સુધી અંતિમયાત્રાના સમગ્ર રૂટમાં રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં લોકો વિજયભાઈને અશ્રુભીની આંખે આખરી વિદાય આપવા ઉમટ્યાં હતાં.


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments