Ahmedabad ના Chandola Talav વિસ્તારમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોના ગેરકાયદે બાંધકામ સામે બુલડોઝરની કાર્યવાહી મંગળવારે શરૂ થઈ ગઈ છે. Gujarat Police એ સોમવારે રાતથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. અહીં 50 બુલડોઝર અને 36 ડમ્પર તૈનાત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 2000 સ્ક્વેર યાર્ડ એટલે કે 18 હજાર સ્ક્વેર ફીટ વિસ્તારના અતિક્રમણને સાફ કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, SOG, સાયબર ક્રાઈમ અને SRPની ટીમો તૈનાત છે.
આ મેગા ડિમોલિશન પર સ્ટે મૂકવા માટે Gujarat High Court માં અરજી કરવામાં આવી હતી. પરંતુ, આ અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી હતી. અહીં રહેતા લોકોએ અરજીમાં જણાવ્યું હતું કે, કાયદાકીય પ્રક્રિયા અને નિયમોનું પાલન કર્યા વિના ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. અરજદારોએ એવો પણ દાવો કર્યો હતો કે અહીં રહેતા લોકો બાંગ્લાદેશી હોવાના કોઈ નક્કર પુરાવા નથી.
આ પણ વાંચો – Padma Awards 2025: ગુજરાતની 05 વિભૂતિઓને કરાયા સન્માનિત
અમદાવાદના દાણીલીમડા રોડ પર આવેલ ચંડોળા તળાવ અને તેની આસપાસનો વિસ્તાર Mini Bangladesh તરીકે ઓળખાય છે. આ વિસ્તાર 1200 હેક્ટરમાં ફેલાયેલો છે. આ સમગ્ર વિસ્તાર ગુનાહિત પ્રવૃત્તિઓ માટે પણ કુખ્યાત છે. જ્યારે ભાસ્કરની ટીમ અહીં પહોંચી તો તેણે જોયું કે તમામ નાની-નાની ગલીઓ ગંદકીથી ઢંકાયેલી હતી.
કેટલીક શેરીઓ એટલી સાંકડી હતી કે તેમાંથી સાઈકલ પણ પસાર થઈ શકતી ન હતી. આ એ જ બંગાળી વસાહત છે જ્યાં વર્ષોથી પશ્ચિમ બંગાળના મુસ્લિમો વસવાટ કરે છે. આ બાંગ્લાદેશી ઘૂસણખોરોના કારણે અહીં આસપાસ રહેતા ભારતીય મુસ્લિમોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.