Wednesday, 30 Apr, 2025
spot_img
Wednesday, 30 Apr, 2025
HomeRELIGIONAkshaya Tritiya: હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનું વિશેષ મહત્ત્વ

Akshaya Tritiya: હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનું વિશેષ મહત્ત્વ

Share:

હિન્દુ ધર્મમાં Akshaya Tritiya નું વિશેષ મહત્ત્વ છે. આ દિવસને ભગવાનનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે સોનાની ખરીદી ધનનો વધારો કરાવશે એવું માનવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ, અક્ષય તૃતીયા વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયાનો તહેવાર 10 મેના રોજ ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર અક્ષય તૃતીયા પર કોઈપણ શુભ કાર્ય કરવાથી અખૂટ ફળ મળે છે. આ સિવાય આ દિવસે ખરીદી કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને ત્યાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે.

અક્ષય તૃતીયા પર લક્ષ્મી પૂજાનો સંયોગ

આ વર્ષે 10 મે એટલે કે શુક્રવારના રોજ 04:17 AMથી વૈશાખ શુક્લ ત્રીજનો શુભારંભ થશે. આ તિથિ 11 મેને શનિવારે 02:50 AM સુધી રહેશે. આમ આ વર્ષે Akshaya Tritiya 10 મે શુક્રવારના રોજ ઉજવવામાં આવશે. આપને જણાવી દઈએ કે અક્ષય તૃતીયાના દિવસે માતા લક્ષ્મી પૂજા કરવાનો મહિમા છે. તેમજ શુક્રવારનો દિવસ પણ માતા લક્ષ્મીને સમર્પિત છે. શુક્રવારના દિવસે અક્ષય તૃતીયા ઉજવવામાં આવશે ત્યારે લક્ષ્મી પૂજાનો સુંદર સંયોગ બની રહ્યો છે.

પૂજા અને દાનનું અનંત પરિણામ

આ વખતે અક્ષય તૃતીયા પર કરવામાં આવતી પૂજા અને દાનનું અનંત પરિણામ આપશે. આ વખતે તહેવાર સુખ અને સમૃદ્ધિ લઈને આવે છે. આ પ્રમાણે અક્ષય તૃતીયાના શુભ મુહૂર્તમાં સ્ફટિકથી બનેલા શ્રી યંત્ર અથવા અષ્ટધાતુ શ્રી યંત્રને તમારા ઘર કે ઓફિસમાં સ્થાપિત કરો અને અક્ષય તૃતીયાથી શરૂ કરીને કપાસ પર અત્તર લગાવો અને યંત્રને અર્પણ કરો. અત્તરથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે, તેથી જ પહેલાના જમાનામાં પૈસાદારો અત્તરનો ઉપયોગ હંમેશા કરતા હતા.

આ પણ વાંચો: Parshuram Jayanti: પરશુરામજીને અમર થવાનું વરદાન


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments