Saturday, 15 Mar, 2025
spot_img
Saturday, 15 Mar, 2025
HomeRELIGIONJAY MAHASHIVRATRI: જાણો 12 જ્યોતિર્લિંગનું મહત્વ

JAY MAHASHIVRATRI: જાણો 12 જ્યોતિર્લિંગનું મહત્વ

Share:

ભગવાન શિવનાં મંદિરને શિવાલય અથવા શિવમંદિર કહેવામા આવે છે. બીજી એક એ પણ ખાસિયત છે કે અન્ય દેવી દેવતાઓનું સ્થાપન મંદિરોમાં મૂર્તિ સ્વરૂપે થાય છે,,, પરંતુ અજન્મા એવા ભગવાન શિવનું સ્થાપન લિંગ સ્વરૂપે થાય છે,,,શિવલિંગને ભગવાન શિવનું પ્રતિક ચિન્હ તરીકે પણ ઓળખવામાં આવે છે,,, ભગવાન શિવ એવા દેવ છે કે જેમણે હંમેશા માણસોની વસ્તીથી અલગ અને એકાંત જગ્યા વધારે પસંદ કરી છે,, તેથી જ તેમના શિવાલયો પણ શેરીઓથી લઈ મોટા શહેર અને ઉચા-ઉચા પહાડ, જંગલથી લઈ સમુદ્રના કિનારાઓ સુધી જોવા મળે છે.

સ્વયંભૂ ગણાતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં શંકરને સદાશિવ કહેવાય છે મહાદેવનાં શણગાર તથા પૂજનવિધીમાં પણ જંગલની કુદરતી વસ્તુઓનો જ ઉપયોગ જોવા મળે છે,,, જેમાં વનનાં ફુલો જેમ કે ધતુરો, બીલીપત્ર તથા રૂદ્રાક્ષ શણગાર તરીકે તો શરીર ઉપર ભસ્મનું લેપન, વાહનમાં પોઠીયો, વગાડવામાં ડમરૂં, શરીરે જટાજુટ સર્પોની માળા અને પોશાકમાં હાથી કે વાઘનું ચામડું હોય છે,,, પૂજનવિધીમાં જળાભિષેક અને થોડા બીલીપત્રનાં પાનનો સમાવેશ થાય તો શિવ અતિ પ્રસંન્ન થાય છે,,, શિવને આમ તો મંદિરની પણ જરૂર નથી, પથ્થરનાં ઓટલે, ઝાડની નીચે, ડુંગરની ટોચે પણ આ ભોળિયોનાથ બીરાજી જાય છે.

શિવાલયની રચના બે ભાગમાં હોય છે જેમાં આગળનો ભાગ મંદિર અને અંદરના ભાગને ગર્ભગાર એટલે કે ગર્ભગૃહ કહેવાય છે,,, જેમાં મનુષ્યના જન્મથી અંત સુધીના સંસ્કાર તેમાં પ્રગટ થાય છે,,, શિવાલયની રચના મનુષ્યનાં જીવનમાં મૃત્યુ, પરિશ્રમ, ઈન્દ્રિય, બુદ્ધિ, સેવા, શક્તિ, જાગૃતિ, શ્રધ્ધા, ભક્તિ, તપ અને મુક્તિની આવશ્યક્તા સમજાવવામાં આવી છે,,,શિવાલય મનુષ્યના દેહ મનની આવશ્યક ગુણવત્તાનું પ્રતીક બની રહે છે,, ભસ્મ અને ચંદન રાગ-વૈરાગ્ય વચ્ચેની સમદૃષ્ટિ પ્રગટ કરે છે,,

સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ
આમ તો ભગવાન શિવના અનેક નામો છે,,,જોકે ભક્તો તેમની પૂજા ઉમા પતિ, શંકર, શંભુ, આશુતોષ, નિલકંઠ, ભોલેનાથ, મહાકાલેશ્વર, સોમનાથ, ત્રિલોકનાથ, કેદારનાથ જેવા નામોના સ્મરણ સાથે કરે છે,,, દેવોના દેવ મહાદેવની જ્યારે વાત હોય ત્યારે 12 જ્યોતિર્લિંગનું વર્ણન કરવું પણ અહીં ખૂબ જરૂરી બની જાય છે,,, પહેલા વાત પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથની કરીએ તો,,, 12 પવિત્ર જ્યોતિર્લિંગમાનું સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ છે,, સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે સોમનાથનું મંદિર 2000 વર્ષ પહેલાનું છે, જોકે સોમનાથ મંદિરમાં વારંવાર થતી વારંવાર લૂટ અને વિનાશ બાદ, ભારતના પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે 13 નવેમ્બર 1947ના રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આજે સોમનાથ મંદિર તેની મુળ જગ્યા પર સાતમી વખત નિર્માણ કરવામાં આવ્યું છે. એક ડિસેમ્બર 1995ના દિવસે આ મંદિરનું પુનઃનિર્માણ સમાપ્ત થયું. ત્યાર બાદ ભારતના રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લીંગની પ્રતિષ્ઠા કરવાની વિધિ કરી ત્યાર પછી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદીરનું નિર્માણ થયું અને ટ્રસ્ટ મંદિરની દેખરેખ કરે છે, મહત્વનું છે કે અત્યાર સુધીમાં સોમનાથન મંદિરને 17 વખત ધ્વસ્ત કરવામાં આવ્યું હતું જોકે મંદિરનું પુનઃ નિર્માણ ભવ્ય રીતે થતા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મહાદેવના દર્શન કરવા અહીં આવે છે.

આંધ્રપ્રદેશ: મલ્લિકાર્જુન મંદિરમા શ્રીસેલમ જ્યોતિલિંગ
આંધ્રપ્રદેશના કુરનુલ જિલ્લામાં કૃષ્ણા નદીના કિનારે મલ્લિકાર્જુન મંદિરમા શ્રીસેલમ જ્યોતિલિંગ આવેલું છે,,, મલ્લિકાર્જુન મંદિર ના વિશે એક પ્રાચીન કથા છે,,,, તે સમય દરમિયાન શિવગણ નંદીએ અહીં તપસ્યા કરી હતી તેમની તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શિવ અને પાર્વતીએ તેમને મલ્લિકાર્જુન અને બ્રાંરભ રૂપમાં દર્શન આપ્યા હતા,,, મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ નું મહાભારતમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે,,, પાંડવોએ આ જ્યોતિર્લિંગને સ્થાપના અહીંયાં કરી હતી ભગવાને રામે પણ આ મંદિરના દર્શન કર્યા હતા. હિરણ્યકશ્યપ જે ભક્ત પ્રહ્લાદના પિતા હતા તે પણ અહીંયાં પૂજા અર્ચના કરતા હતા,,, ભારતમાં બાર જ્યોતિર્લિંગોમાં મલ્લિકાર્જુન બીજા સ્થાન પર આવેલું છે.

મહાકાળેશ્વર મંદિર
ભારતમાં આવેલા બાર જ્યોતિર્લિંગમાંનું મહાકાળેશ્વર મંદિર ત્રીજા નંબરનું જ્યોતિર્લિંગ છે,,, આ જ્યોતિર્લિંગ મધ્ય પ્રદેશ રાજ્યના ઉજ્જૈન નગરમાં આવેલું છે,, આ જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ઉજ્જૈન નગરમાં શિપ્રા નદીના તટ પર આવેલું છે,, મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ની વિશેષતા એ છે કે આ એકમાત્ર દક્ષિણમુખી જ્યોતિર્લિંગ છે અને ભગવાન મહાકાલેશ્વર ઉજ્જૈન ની રક્ષા કરી રહ્યા છે.,,મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ની વિશેષતા એ છે કે એક માત્ર દક્ષિણ જ્યોતિર્લિંગ હોવાથી ત્યાંની ભસ્મ આરતી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે,, મહાકાલ ના સાચા મનથી દર્શન કરનારાઓ ક્યારે બીમારીનો કે મૃત્યુનો ભય રહેતો નથી મહાકાલ ઉજ્જૈનના રાજાના સ્વરૂપે પૂજાય છે, જેનું પણ ભવ્ય નિર્માણ મોદી સરકારે મહાલોક તરીકે કર્યું છે.

ઓમકાલેશ્વર
ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગ માં ચોથું જ્યોતિર્લિંગ ઓમકાલેશ્વર છે,,, તે મધ્યપ્રદેશમાં નર્મદા નદીના કિનારે આવેલું છે,,, આ જગ્યા પર ભગવાન શિવના બે મંદિરો છે,,, ઓમકારેશ્વર અને મમલેશ્વર,,, એમ કહેવાય છે કે દેવતાઓની પ્રાર્થનાથી આ મંદિર બે ભાગમાં છૂટું પડી ગયું હતું ઓમકારેશ્વર ની વિશેષતા એ છે કે અહીં નો પર્વત ઓમના આકારનો દેખાય છે અને નર્મદા નદી પણ ઓમ ના આકાર ની વહેતી હોય તેવું દેખાય છે. માટે તેનું નામ ઓમકારેશ્વર છે,, શંકરાચાર્યના ગુરુ ઓમકારેશ્વરની એક ગુફામાં રહેતા હતા અને પૌરાણિક કથા અનુસાર ઓમકારેશ્વરમાં વિદ્યા ચલે તપસ્યા કરી હતી.

કેદારનાથ
બાર જ્યોતિર્લિંગોમાં કેદારનાથનું મંદિર ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું એક પ્રસિદ્ધ હિંદુ મંદિર છે,,, ઉતરાખંડ હિમાલય પર્વત ની ગોદમાં આવેલું કેદારનાથ મંદિર પણ બાર જ્યોતિર્લિંગોમાં સામેલ છે,,, ચાર ધામોમાંનું એક મંદિર કેદારનાથ છે અહીંના પ્રતિકૂળ વાતાવરણને કારણે આ મંદિર માત્ર એપ્રિલ અને નવેમ્બર ની વચ્ચે દર્શન માટે ખુલે છે,,, આ મંદિરનો જીર્ણોધ્ધાર આદિ શંકરાચાર્યએ કરાવ્યો હતો,, મહત્વનું છે કે કેદારનાથનો ખૂબ જ મોટો મહિમા છે બદ્રીનાથ અને કેદારનાથ ઉતરાખંડ ના બે મુખ્ય યાત્રાધામ છે. તે બંને નુ ખૂબ મહત્વ છે. કેદારનાથની સાથે નરનારાયણની મૂર્તિ જોવાથી બધા પાપો થી મુક્તિ પ્રાપ્ત થાય છે.

ભીમાશંકર
બાર મુખ્ય જ્યોતિર્લિંગમાં છઠ્ઠું જ્યોતિર્લિંગ ભીમાશંકર છે. આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પુણેથી ૧૧૦ કિલોમીટર દૂર સહ્યાદ્રી નામના પર્વત પર આવેલું છે. ભીમાશંકર જ્યોતિર્લિંગ ને મોટેશ્ર્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે,,ભીમાશંકર જ્યોતિર્લિંગ ના દર્શન કરવાથી વ્યક્તિના તમામ દુઃખોમાંથી મુક્તિ મળે છે. આ મંદિર ખુબ જ જુનું અને કલાત્મક છે. શિવપુરાણમાં કુંભકર્ણ ના પુત્ર નું નામ ભીમ હતું જે રાક્ષસ હતો. પિતાના મૃત્યુ પછી તેનો જન્મ થયો હતો તેમને ખબર નહોતી કે તેમના પિતા ભગવાન રામના હાથે મૃત્યુ પામ્યા છે. ભગવાન રામ ને મારવા માટે ઘણા વર્ષો સુધી ભીમે અહીં તપસ્યા પણ કરી હતી,,એટલે તેનુ નામ ભીમાશંકર પડ્યુ.

કાશી વિશ્વનાથ
કાશી વિશ્વનાથ મંદિર બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. આ મંદિર વારાણસી ગંગા નદીના કિનારે આવેલું છે. આ મંદિર વારાણસીમાં છેલ્લા ઘણા હજારો વર્ષોથી સ્થિત છે. કાશી વિશ્વનાથ મંદિર હિન્દુ ધર્મમાં વિશેષ સ્થાન ધરાવે છે,,,અહીંયા પવિત્ર ગંગામાં સ્નાન કરવાથી વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત થાય છે. કાશી વિશ્વનાથ મંદિર નું મુખ્ય દેવતા વિશ્વનાથ અથવા વિશ્વેશ્વર નામથી ઓળખવામાં આવે છે. આ પવિત્ર મંદિર ગંગાના પશ્ચિમ કિનારે આવેલું છે. અને વારાણસી શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરને કાશી વિશ્વનાથ મંદિર કહેવામાં આવે છે.

ત્ર્યંબકેશ્વર
બાર જ્યોતિર્લિંગોમાં ત્ર્યંબકેશ્વર મહારાષ્ટ્રના નાસિકથી 35 કિલોમીટર દૂર ગૌતમી નદીના કિનારે આવેલું છે. મંદિરની અંદર એક નાના ખાડામાં ત્રણ નાના લિંગ આવેલા છે. તેમાં બ્રહ્મા વિષ્ણુ અને શિવ એ ત્રણ દેવતાઓ બિરાજમાન છે. આ તેની મોટી વિશેષતા છે. ભારતમાં સૌથી વધુ આ જ્યોતિર્લિંગ પૂજાય છે. અહીંયા કુંભનો મેળો પણ ભરાય છે અને ભક્તો ગૌતમ ગંગામાં સ્નાન કરીને ભગવાન શ્રી ત્રંબકેશ્વર ના દર્શન કરે છે.

વૈદ્યનાથ જ્યોતિર્લિંગ
વૈદ્યનાથ નવમાં જ્યોતિર્લિંગ પર આવે છે વૈદ્યનાથ જ્યોતિર્લિંગ ઝારખંડ પ્રાંતના સાયલ પરગણાના ડુમકા નામના જિલ્લામાં આવેલું છે.પહેલા બિહાર પ્રાન્તમાં હતું વૈધનાથ નાદર્શન કરવાથી બધા કષ્ટો દૂર થઈ જાય છે આ જ્યોતિર્લિંગ ની કથા રાવણ સાથે સંબંધિત છે,, ભગવાન શિવ નો સૌથી મોટો ભક્ત રાવણ હતો એક વાર શિવને પ્રસન્ન કરવા માટે હિમાલય પર તીવ્ર તપસ્યા કરી રહ્યો હતો અને રાવણે તેના નવ માથા કાપીને શિવલિંગને અર્પણ કર્યા હતા જ્યારે તે પોતાનું દસમુ માથું કાપવા જઈ રહ્યો હતો ત્યારે શિવ પ્રગટ થયા ત્યારે ભગવાન શિવજીએ રાવણને વરદાન આપ્યું હતું.કહેવાય છે કે રાવણે વરદાનમાં એકલિંગ માગ્યું હતું ત્યારબાદ અહીંયાના લિંગની સ્થાપના કરવામાં આવી હતી ત્યાંથી તેનુ નામ વૈધનાથ ધામ કહેવામાં આવ્યું છે

નાગેશ્વર જ્યોતિર્લિંગ
ભગવાન શિવનું નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાત રાજ્યની હદમાં દ્વારકા થી ૨૫ કિલોમીટરના અંતરે આવેલું છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને સર્પના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. અને નાગેશ્વર નો સંપૂર્ણ અર્થ સર્પનો સ્વામી એવો થાય છે,, નાગેશ્વર જ્યોતિર્લિંગ ના દર્શન માત્રથી મનુષ્ય ના બધા જ પાપો અને દુષ્કર્મ ધોવાઈ જાય છે અને તે પૂર્ણ પ્રાપ્ત કરે છે,, મહત્વનું છે કે સર્પ ભગવાન શિવના ગળામાં જોવા મળે છે માટે આ મંદિરમાં ઝેર અને ઝેર સંબંધિત રોગોથી મુક્તિ મળે છે,,નાગેશ્વર શિવલિંગની સ્થાપના દ્વારકાના ખડકમાંથી ગોળાકાર પથ્થર થી ત્રણ મુખી રુદ્રાક્ષ ના રૂપમાં કરવામાં આવી છે શિવલિંગની સાથે દેવી પાર્વતીને પણ પૂજા કરી શકાય છે પૌરાણિક કથા અનુસાર ભગવાન કૃષ્ણ રુદ્રાભિષેક દ્વારા ભગવાન શિવની પૂજા કરતા હતા.


રામેશ્વરમ જ્યોતિર્લિંગ તમિલનાડુના જિલ્લામાં આવેલું છે,,, 12 જ્યોતિર્લિંગમાં આ મંદિર 11માં નંબરે આવે છે,, રામેશ્વરમ હિંદુઓ માટે પવિત્ર યાત્રાધામ છે,,, આ તીર્થ હિન્દુઓના ચાર ધામોમાંનું એક ધામ છે,,,એવું માનવામાં આવે છે કે આ મંદિરની સ્થાપના ભગવાન શ્રીરામે કરી હતી માટે આ જ્યોતિર્લીંગની ભગવાન રામના નામ થી રામેશ્વર નામ આપવામાં આવ્યું છે,, હવે વાત 12 મા જ્યોતિર્લિંગની કરીએ તો,,ગ્રિષ્ણેશ્વર જ્યોતિર્લીંગ ઔરંગાબાદ શહેરની બાજુમાં દોલતાબાદ થી ૧૧ કિ.મી.ના અંતરે આવેલું છે ધુનેશ્વર મંદિર ભગવાન શિવના ૧૨ જ્યોતિર્લિંગમાંનું એક છે એમ કહેવામાં આવે છે કે મંદિરમાં દર્શન કરવાથી તમામ પ્રકારની ઇચ્છાઓ પ્રાપ્ત થાય છે નિઃસંતાન લોકોને સંતાન પ્રાપ્ત થાય છે.

મહાશિવરાત્રીનો જ્યારે પર્વ હોય, ત્યારે શિવ ભક્તો ઉપવાસ કરી શિવલિંગ પર જળાભિષેક કરી, બિલિપત્ર ચઢાવી, આ ઉપરાંત ભજન કિર્તનની ધુન સાથે દેવોનાદેવ મહાદેવની આરાધના કરે છે,,,મહિલાઓ માટે શિવરાત્રીનું વિશેષ મહત્વ છે,,, અવિવાહિત મહિલાઓ ભગવાન શિવને પ્રાર્થના કરે છે કે તેમને પણ ભગવાન શિવ જેવો જ પતિ મળે. તો વિવાહિત મહિલાઓ પોતાના પતિ અને પરિવાર માટે મંગલ કામના કરે છે,, મહાશિવરાત્રી જ્યારે હોય છે,,ત્યારે ભારતની તપોભૂમિ કહેવાતી ગીરનારની ટળેટીમાં પણ બીજી તરફ લાખો ભક્તો, સાધુ સંતોનો જમાવળો કંઈક આ રીતે જોવા મળે છે, હર હર શંભુનો નાથ ચારેય તરફ સાંભળવા મળે છે.


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments