Congress પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને શનિવારે ફરી એકવાર પાર્ટીના સંસદીય દળના વડા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જૂની સંસદના સેન્ટ્રલ હોલમાં યોજાયેલી Congress સંસદીય દળની બેઠકમાં પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ સોનિયા ગાંધીને સંસદીય દળના વડા તરીકે નિયુક્ત કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને પક્ષના સાંસદોએ સર્વસંમતિથી મંજૂર કર્યો હતો.
કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક
આ પહેલા Congress Working Committee (CWC)ની બેઠક યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને લોકસભામાં Opposition Party ના નેતા બનાવવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે. CWCની બેઠકમાં એવો સંકેત પણ આપવામાં આવ્યો છે કે રાહુલ વાયનાડ બેઠક છોડીને રાયબરેલી બેઠક પોતાના માટે રાખશે.
રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા?
CWCની બેઠક દિલ્હીની અશોકા હોટલમાં લગભગ 3 કલાક સુધી ચાલી હતી. પાર્ટીના સાંસદોએ રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા બનાવવાનો ઠરાવ પણ પસાર કર્યો હતો. આના પર રાહુલે કહ્યું, ‘મને વિચારવાનો સમય આપો.’ આ પોસ્ટ છેલ્લા 10 વર્ષથી ખાલી છે. 2014 માં કોંગ્રેસને 44 અને 2019માં 52 બેઠકો મળી હતી. ભાજપ પછી કોંગ્રેસને સૌથી વધુ બેઠકો મળી હતી. તેમ છતાં કોંગ્રેસને વિપક્ષના નેતાની ખુરશી મળી નથી. વિપક્ષના નેતાના પદ માટે, કોઈપણ પક્ષ પાસે લોકસભાની કુલ બેઠકોના 10 ટકા હોવી આવશ્યક છે. એટલે કે 543 બેઠકોમાંથી કોંગ્રેસને આ માટે 54 સાંસદોની જરૂર છે. આ વખતે કોંગ્રેસે પોતાના દમ પર 99 બેઠકો મેળવી છે.
2014માં, વિપક્ષમાં સૌથી મોટી પાર્ટી હોવા છતાં, ભૂતપૂર્વ લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને તેમને વિપક્ષના નેતાનો દરજ્જો આપવાનો ઇનકાર કર્યો હતો. છેલ્લી લોકસભામાં કોંગ્રેસનું પ્રદર્શન થોડું સારું હતું, પરંતુ તેમ છતાં તે 54 બેઠકો જીતી શકી ન હતી. અધીર રંજન ચૌધરીને કોંગ્રેસના નેતા બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેમ છતાં કોઈ વિપક્ષના નેતા બની શક્યું ન હતું.
આ પણ વાંચો: Narendra Modi: રાષ્ટ્રપતિએ મોદીને નવી સરકાર રચવા આમંત્રણ આપ્યું
પ્રેસ કોન્ફરન્સમાં જયરામ રમેશે કહ્યું કે તેમને પ્રધાનમંત્રી – નિયુક્ત નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહનું આમંત્રણ મળ્યું નથી. માત્ર આંતરરાષ્ટ્રીય નેતાઓને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. જ્યારે અમારા ઈન્ડી ગઠબંધનના નેતાઓને આમંત્રણ આવશે, તો અમે તેના પર વિચાર કરીશું.