Monday, 23 Jun, 2025
spot_img
Monday, 23 Jun, 2025
HomeNATIONALModi 3.0: 11 વર્ષમાં સરકારના ઐતિહાસિક નિર્ણય

Modi 3.0: 11 વર્ષમાં સરકારના ઐતિહાસિક નિર્ણય

Share:

આજે Modi 3.0 ની પ્રથમ વર્ષગાંઠ છે. વર્ષ 2024માં પ્રધાનમંત્રી Narendra Modi એ આજના દિવસે જ પ્રધાનમંત્રી પદના સતત ત્રીજી વાર શપથ લીધા હતા. ગત 11 વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં વિકાસના અનેક શિખરો સર કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના એક્સ મીડિયા પર જણાવ્યું હતુ કે, ઉજ્જવલા હોય કે પીએમ આવાસ, આયુષ્માન ભારત હોય કે ભારતીય જનઔષધિ કે પછી પીએમ કિસાન સન્માન નિધિ, આ બધી યોજનાઓએ દેશવાસીઓની આશાઓને નવી પાંખો આપી છે. આ 11 વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતના ચાર સ્તંભોનું વર્ણન કર્યું છે. જેમાં ગરીબ, યુવાનો, ખેડૂતો અને મહિલાઓનો સમાવેશ થાય છે.

11 વર્ષમાં સરકારના 11 ઐતિહાસિક નિર્ણય

  1. ઉજ્જવલા યોજના: આ યોજના હેઠળ, 10.3 કરોડથી વધુ ગરીબ મહિલાઓને મફત LPG કનેક્શન આપવામાં આવ્યા
  2. પ્રધાનમંત્રી આવાસ યોજના: આ યોજના હેઠળ, 04 કરોડથી વધુ ગરીબ લોકોને પાકા મકાનોની ભેટ
  3. જન ધન યોજના: આ યોજનાનો લાભ લઈને, લગભગ 55 કરોડ લોકોએ 0 બેલેન્સ પર બચત બેંક ખાતા ખોલાવ્યા
  4. PM મુદ્રા અને સ્ટેન્ડ અપ યોજના: આ યોજના હેઠળ, નાના વેપારી અને પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિકોને ગેરંટી વિના સસ્તા દરે લોન ઉપલબ્ધ કરાવવામાં આવી
  5. કિસાન સન્માન નિધિ: આ હેઠળ, 11 કરોડથી વધુ ખેડૂતોને 3.7 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી
  6. PM કૌશલ વિકાસ યોજના: આ યોજના દ્વારા 1.48 કરોડથી વધુ યુવાનોને તાલીમ/લક્ષી બનાવવામાં આવ્યા
  7. સ્વચ્છ ભારત અભિયાન: આ અભિયાન હેઠળ, દેશભરમાં 12 કરોડથી વધુ શૌચાલય બનાવવામાં આવ્યા
  8. સૌભાગ્ય યોજના: આ યોજના હેઠળ, 100 ટકા ઇચ્છુક પરિવારોને વીજળી જોડાણો પૂરા પાડવામાં આવ્યા
  9. PM સ્વાનિધિ યોજના: આ યોજના અંતર્ગત 68 લાખથી વધુ શેરી વિક્રેતાઓને તેમના કામ માટે સરળતાથી લોન આપવામાં આવી
  10. આયુષ્માન યોજના: આ યોજના હેઠળ, 50 કરોડથી વધુ લોકોને 5 લાખ રૂપિયા સુધીનો મફત આરોગ્ય વીમો પૂરો પાડવામાં આવ્યો
  11. PM ગરીબ કલ્યાણ અન્ન યોજના: આ યોજના હેઠળ, 81 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવે છે.

ભારતે મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે અને વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઇલ ઉત્પાદક દેશ બન્યો છે. 2014 માં, ભારતમાં ફક્ત 2 મોબાઇલ ઉત્પાદન એકમો હતા. પરંતુ આજે દેશમાં 300 થી વધુ ઉત્પાદન એકમો છે. જે આ મહત્વપૂર્ણ ક્ષેત્રમાં અભૂતપૂર્વ વિસ્તરણ દર્શાવે છે. સત્તાવાર નિવેદન અનુસાર, મેક ઇન ઇન્ડિયા મોબાઇલ હવે વિશ્વભરમાં અપનાવવામાં આવી રહ્યું છે અને દર અઠવાડિયે 63 લાખથી વધુ ફોનનું ઉત્પાદન થઈ રહ્યું છે.

આ પણ વાંચો – Kadi-Visavadar: જાણો કોણ છે પેટાચૂંટણીમાં ઉમેદવાર

ભારતીય રેલવેના Locomotive ઉત્પાદન એકમોએ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન વિવિધ શ્રેણીઓમાં 1,681 લોકોમોટિવનું ઉત્પાદન કરીને નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ અગાઉના નાણાકીય વર્ષ 2023-24 માં ઉત્પાદિત 1,472 લોકોમોટિવની તુલનામાં 19 ટકાનો વધારો દર્શાવે છે. દેશમાં દરરોજ 4 થી વધુ નવા લોકોમોટિવનું ઉત્પાદન થઈ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે, ભારત બદલાઈ રહ્યું છે, અને તે ઝડપથી બદલાઈ રહ્યું છે. લોકોનો આત્મવિશ્વાસ, સરકાર પર તેમનો વિશ્વાસ અને નવ ભારતનું નિર્માણ કરવાની તેમની પ્રતિબદ્ધતા દરેક જગ્યાએ દેખાય છે.


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments