Monday, 23 Jun, 2025
spot_img
Monday, 23 Jun, 2025
HomeGUJARAT NEWSWeather Forecast: આકાશમાંથી થશે અગનવર્ષા!

Weather Forecast: આકાશમાંથી થશે અગનવર્ષા!

Share:

Weather Forecast: ગુજરાતમાં હવામાન વિભાગે Weather Forecast માં એપ્રિલના અંત અને મે મહિનાની શરૂઆતમાં 40થી 44 ડિગ્રી વચ્ચે તાપમાનની આગાહી કરી છે. આજે રાજકોટમાં 43 ડિગ્રી જ્યારે અમદાવાદ, અમરેલી અને ભુજમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર કરી ગયો છે. જોકે, બે દિવસ એટલે કે 27 એપ્રિલ બાદ હાલમાં જે તાપમાન નોંધાઈ રહ્યું છે તેમાં પણ પવનની દિશા બદલાવાથી બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની IMD દ્વારા આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત 27 એપ્રિલથી 1 મે દરમિયાન South Gujarat અને Saurashtra Kutch ના દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમ હવાને કારણે અસહજ સ્થિતિ રહેવાની સંભવાના છે. પવનની દિશા દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફની રહેશે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.

દરિયાકાંઠા વિસ્તારમાં તાપમાન ઓછું રહેશે પરંતુ, ગરમ પવનના કારણે અસહજ સ્થિતિ બની રહેવાની આગાહી છે. અમદાવાદ શહેરમાં આકરી ગરમીને કારણે ટ્રાફિક સિગ્નલો પર વાહનચાલકો અકળાતા હોવાથઈ 74 જેટલાં સિગ્નલ બપોરે 12થી 4 દરમિયાન બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

આ પણ વાંચો – Pahalgam Terror Attack: મોદી સરકારના પાંચ નિર્ણયો પાકિસ્તાનની લાવશે શાન ઠેકાણે

શહેર તેમજ જિલ્લામાં હાલ ઉનાળાની ઋતુ દરમિયાન અસહ્ય ગરમીને કારણે શ્રમિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. ત્યારે મનરેગા યોજના હેઠળ જિલ્લામાં વિવિધ સ્થળોએ કામગીરી કરતા શ્રમિકોની તબિયતનો ખ્યાલ પણ રાખવામાં આવી રહ્યો છે. મનરેગા શ્રમિકોની આરોગ્ય ચકાસણી સાથે ORS અને છાશ વિતરણ કરાયું છે.


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments