આજે સાંજે 5 વાગ્યે અમદાવાદમાં ભારત અને સંયુક્ત અરબ અમીરાત વચ્ચે લાંબા સમયથી ચાલતી ભાગીદારીમાં મહત્વાકાંક્ષી નવા તબક્કાની શરૂઆત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન અમદાવાદ એરપોર્ટથી પ્રતિષ્ઠિત સાબરમતી આશ્રમ સુધી રોડ શો કરશે. અમદાવાદ ખાતે થનારા રોડ શો બાદ 10 જાન્યુઆરીએ Vibrant Gujarat સમિટનું ઉદ્ધાટન PM મોદીના હસ્તે થશે.
ભારતનો UAE સાથે મહત્વપૂર્ણ સંબંધ
ક્રૂડ ઓઈલ અને ભારતમાં આવતા વિદેશી નાણા અને નિકાસના સંદર્ભમાં ભારતનો UAE સાથે ખૂબ જ મહત્વપૂર્ણ સંબંધ છે. UAE ભારત અને પશ્ચિમ એશિયા વચ્ચે નોંધપાત્ર જોડાણ બનાવે છે. વડાપ્રધાન મોદી જુલાઈ 2023માં UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને મળ્યા હતા. ભારત અને UAE વચ્ચે તેમની સંબંધિત ચલણમાં વેપાર સમાધાનની શરૂઆતની જાહેરાત કરી હતી.
PM મોદીએ 2014માં સત્તા સંભાળ્યા પછી પાંચ વખત UAEની મુલાકાત લીધી હતી. આગામી 14 ફેબ્રુઆરીએ BAPS હિંદુ મંદિરના ઉદ્ઘાટન સાથે PM મોદી સમારોહનું સંચાલન કરશે. હિંદુ મંદિરનો શિલાન્યાસ 20 એપ્રિલ, 2019ના રોજ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટનો ઈતિહાસ 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત સાથે સંકળાયેલો છે. કારણ કે તે દરમિયાન UAE સરકારે મંદિર માટે જમીન ફાળવી હતી.
ડિસેમ્બર 2021માં, ગુજરાતના મુખ્યમંત્રીની UAEની મુલાકાત દરમિયાન, પાવર, શહેરી વિકાસ, લોજિસ્ટિક્સ, કિંમતી ધાતુ, છૂટક અને નાણાકીય સેવાઓ સહિતના ક્ષેત્રોમાં 19 MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. Vibrant Gujarat માં શેખ મોહમ્મદની સહભાગિતા ભાગીદારીના આ નવા તબક્કાને વધુ બળ આપશે.

કોણ છે શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન?
- શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન UAEના રાષ્ટ્રપ્રમુખ છે
- અરબ રાષ્ટ્રોનો સૌથી પ્રભાવશાળી શાસકોમાંથી એક છે
- શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન લોકપ્રિય શાસક છે
- પોતાનું શિક્ષણ સંયુક્ત આરબ અમીરાત અને યુનાઇટેડ કિંગડમમાં મેળવ્યું હતું
- કારકિર્દીની શરૂઆતમાં, તેમણે યુએઈની સૈન્યમાં અસંખ્ય હોદ્દાઓ સંભાળ્યા હતા
- તેઓ UAE એરફોર્સમાં પાઇલટ તરીકે આગળ વધ્યા હતા
આ પણ વાંચો: અયોધ્યા કેસના વાદી ઈકબાલ અંસારીને રામમંદિર અભિષેક સમારોહ માટે આમંત્રણ મળ્યું