Haryana ના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ રાજ્યમાં સરકારી નોકરીઓમાં અગ્નિવીરોને 10 ટકા અનામત આપવાની જાહેરાત કરી છે. CM સૈનીએ કહ્યું કે અમારી સરકાર Haryana માં પોલીસ કોન્સ્ટેબલ, માઈનિંગ ગાર્ડ, ફોરેસ્ટ ગાર્ડ, જેલ વોર્ડન અને એસપીઓની સીધી ભરતીમાં અગ્નિવીરોને 10 ટકા અનામત આપશે.
બુધવારે ચંદીગઢમાં પ્રેસ કોન્ફરન્સમાં સીએમ સૈનીએ કહ્યું કે અમે આ અગ્નિવીરોને ગ્રુપ ડી અને સીમાં સરકારી પોસ્ટ માટે નિર્ધારિત મહત્તમ વયમાં 3 વર્ષની છૂટ આપવાનો પણ નિર્ણય કર્યો છે. પ્રથમ બેચના અગ્નિવીરોને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ મળશે. સરકાર ગ્રૂપ-સીમાં સિવિલ પોસ્ટ પર સીધી ભરતીમાં ફાયરમેન માટે 5 ટકા અને ગ્રુપ ડીમાં એક ટકા અનામત આપશે.
ખાનગી ઔદ્યોગિક એકમોને સબસિડી
CM નાયબ સૈનીએ કહ્યું કે જો કોઈ ઔદ્યોગિક એકમ દર મહિને 30 હજાર રૂપિયાથી વધુ પગાર ચૂકવે છે, તો હરિયાણા સરકાર તે ઔદ્યોગિક એકમને દર વર્ષે 60 હજાર રૂપિયાની સબસિડી આપશે. આ સાથે રાજ્ય સરકારે અગ્નિવીર માટે ગ્રુપ સીની જગ્યાઓ પર ભરતીમાં 5 ટકા અનામતની જાહેરાત કરી છે.
આ પણ વાંચો: Agniveer: CISF, BSFમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે અનામત
CM સૈનીએ કહ્યું કે હરિયાણા સરકાર પણ અગ્નિવીરોને તેમનું કામ શરૂ કરવામાં મદદ કરશે. આ માટે સરકારે નિર્ણય કર્યો છે કે જે અગ્નિવીર પોતાનું કામ કરવા માંગે છે તેમને વ્યાજમુક્ત લોન આપવામાં આવશે. તેમને તેમનું કામ શરૂ કરવા માટે 5 લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન આપવામાં આવશે.