Tuesday, 24 Jun, 2025
spot_img
Tuesday, 24 Jun, 2025
HomeNATIONALPahalgam Terror Attack: પુલવામા હુમલા બાદનો સૌથી મોટો આતંકી હુમલો

Pahalgam Terror Attack: પુલવામા હુમલા બાદનો સૌથી મોટો આતંકી હુમલો

Share:

2019ના Pulwama Attack બાદ જમ્મુ-કાશ્મીરમાં Pahalgam Terror Attack સૌથી મોટો આતંકી હુમલો છે. આતંકવાદીઓએ મંગળવારે પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો, જેમાં 26 લોકોના મોત થયા હતા. મૃતકોમાં યુએઈનો એક પ્રવાસી અને એક નેપાળનો અને બે સ્થાનિક નાગરિકોનો સમાવેશ થાય છે. બાકીના પ્રવાસીઓ યુપી, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને ઓડિશાના છે.

આ ઘટના મંગળવારે બપોરે લગભગ 2.45 વાગ્યે પહેલગામની બૈસરન ખીણમાં બની હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આતંકવાદીઓએ યુપીથી આવેલા શુભમ દ્વિવેદીનું નામ પૂછ્યું અને પછી તેને માથામાં ગોળી મારી દીધી. શુભમના લગ્ન બે મહિના પહેલા જ થયા હતા. તે અહીં તેના હનીમૂન પર આવ્યો હતો.

અન્ય પ્રવાસીઓ પર ગોળીબાર કરતા આતંકીઓ નાસી છૂટ્યા હતા. આ હુમલાની જવાબદારી લશ્કર-એ-તૈયબાએ લીધી છે. પ્રશાસને આતંકવાદી હુમલામાં એકના મોતની જાણ કરી હતી, પરંતુ લગભગ 4 કલાક બાદ સમાચાર એજન્સીએ 26 લોકોના મોતની જાણ કરી હતી. આ ઘટનામાં 20 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘટના બાદ સુરક્ષા દળોએ પહેલગામમાં હુમલાગ્રસ્ત વિસ્તારને કોર્ડન કરી લીધો છે. હેલિકોપ્ટરથી પણ દેખરેખ રાખવામાં આવી રહી છે.

જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાઉદી અરેબિયાની મુલાકાતને ટૂંકાવીને પરત ફરશે. મોદી આજે બે દિવસના પ્રવાસે સાઉદી અરેબિયા પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું- હું પહેલગામ આતંકવાદી હુમલાની સખત નિંદા કરું છું. જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળના લોકોને બક્ષવામાં આવશે નહીં. તેના દુષ્ટ ઇરાદા ક્યારેય સફળ થશે નહીં. આતંકવાદ સામે લડવાનો અમારો સંકલ્પ અતૂટ છે અને તે વધુ મજબૂત બનશે.

આ પણ વાંચો – UPSC Result 2024: દેશની દીકરીઓએ બાજી મારી

ઘટના બાદ ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીથી Srinagar પહોંચી ગયા છે. તેઓ રાજભવનમાં સેના અને વહીવટી અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી રહ્યા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદી સાથે વાત કરી અને સ્થિતિ વિશે જાણકારી મેળવી. Jammu ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝે પહેલગામ હુમલાના વિરોધમાં બુધવારે જમ્મુ બંધનું એલાન આપ્યું છે. હુમલાની તપાસ માટે NIAની ટીમ બુધવારે પહેલગામ પહોંચશે. પહેલગામની ઘટના બાદ દિલ્હી, મુંબઈ અને અન્ય શહેરોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments