Operation Sindoor પછીના દિવસે, એટલે કે બુધવાર-ગુરુવાર રાત્રે, પાકિસ્તાને 15 થી વધુ ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. India એ રશિયા પાસેથી મળેલી S400 સંરક્ષણ પ્રણાલી દ્વારા આ હુમલાને નિષ્ફળ બનાવ્યો. ગુરુવારે સવારે ભારતે બદલો લેવા માટે Pakistan ની હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ કર્યો. આ માટે Israel થી મળેલા હાર્પી ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ગુરુવારે બપોરે 2.30 વાગ્યે સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે પાકિસ્તાને ઉત્તર અને પશ્ચિમ ભારતના શહેરોને પણ નિશાન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન અવંતીપોરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભુજમાં ડ્રોન અને મિસાઈલ છોડવામાં આવી હતી. આ પણ નિષ્ફળ બનાવવામાં આવ્યા.
ભારતીય સેનાએ રશિયા પાસેથી મેળવેલી S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ પહેલાથી જ સરહદો પર તૈનાત કરી દીધી છે અને પાકિસ્તાને મિસાઇલોથી હુમલો કરતાની સાથે જ આ સિસ્ટમ સક્રિય થઈ ગઈ હતી. Ministry of Defence એ જણાવ્યું હતું કે આજે સવારે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ, ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં અનેક સ્થળોએ હવાઈ સંરક્ષણ રડાર અને સિસ્ટમોને નિશાન બનાવવા માટે હાર્પી ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. ભારતની કાર્યવાહી પાકિસ્તાન જેટલી જ ઝડપે અને તે જ વિસ્તારમાં કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે લાહોર, સિયાલકોટ, કરાચીમાં હવાઈ સંરક્ષણ પ્રણાલીઓનો નાશ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો – Operation Sindoor: ભારતે આતંકનો કર્યો ખાતમો
S-400 એક હવાઈ સંરક્ષણ પ્રણાલી છે. આ હવામાં થતા હુમલાઓને અટકાવે છે. તે દુશ્મન દેશોના મિસાઇલો, ડ્રોન, રોકેટ લોન્ચર અને ફાઇટર જેટના હુમલાઓને રોકવામાં અસરકારક છે. તે 600 કિમી દૂર સુધી લક્ષ્યને ટ્રેક કરે છે. તેની લક્ષ્ય હિટિંગ રેન્જ 400 કિમી છે. તેનું નિર્માણ રશિયાના અલ્માઝ સેન્ટ્રલ ડિઝાઇન બ્યુરો દ્વારા કરવામાં આવ્યું છે. તેની ગણતરી વિશ્વની સૌથી આધુનિક હવાઈ સંરક્ષણ પ્રણાલીઓમાં થાય છે.