રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ પ્રવાસન વિભાગના મંત્રી મુળુ બેરા તેમજ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનથી ગુજરાત પ્રવાસન નિગમ, GSRTC અને સોમનાથ ટ્રસ્ટના પ્રયાસથી પ્રવાસીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. મહાકુંભ 2025ના સફળ ટૂર પેકેજ બાદ હવે રાજ્ય સરકારે રાજ્યની જનતા માટે વિશેષ ટૂર પેકેજ જાહેર કર્યા છે. દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દર્શન તેમજ નડાબેટ, વડનગર અને મોઢેરા માટે વિશેષ GSRTC Tour Package ની શરૂઆત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યના પ્રવાસીઓને ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળોની અફોર્ડેબલ અને આરામદાયક મુલાકાતનો લાભ મળશે.
સોમનાથ દર્શન ટૂર પેકેજ
- 28મી એપ્રિલ 2025 થી અમદાવાદના રાણીપ બસ ડેપોથી બસ મળશે
- સવારે 6 કલાકે AC વોલ્વો બસ ઉપડશે, બપોરે 4 વાગે સોમનાથ પહોંચશે
- સોમનાથ દર્શન બે દિવસ તથા એક રાત્રિનું ટુર પેકેજ
- સિંગલ શેરિંગ – રૂ. 4,000 અને ડબલ શેરિંગ – રૂ. 7,050
- હોટેલ રોકાણ, Somnath ખાતે લાઈટ-સાઉન્ડ શો સહિતના સ્થળોની મુલાકાત
- બીજા દિવસે બપોરે રામ મંદિર ખાતે કોમ્પ્લિમેન્ટરી પ્રસાદની સગવડ
- સોમનાથ ખાતે અગત્યના સ્થળોની જાણકારી માટે ગાઈડની વ્યવસ્થા
નડાબેટ સીમા દર્શન
- Nadabet સીમા દર્શન 26મી એપ્રિલ 2025થી દર શનિવાર અને રવિવારે બસ ઉપડશે
- અમદાવાદથી સવારે 6 કલાકે બસ ઉપડશે, બપોરે 12:30 કલાકે નડાબેટ પહોંચશે
- નડાબેટ સીમા દર્શન માટે વ્યક્તિ દીઠ 1800 રૂપિયા ભાડું રહેશે
વડનગર અને મોઢેરા ટૂર પેકેજ
- અમદાવાદથી સવારે 9 કલાકે બસ ઉપડશે, 11:15 કલાકે વડનગર અને 5:30 વાગ્યે મોઢેરા પહોંચશે
- Vadnagar ખાતે નવનિર્મિત મ્યુઝિયમ, તાનારીરી, મોઢેરા સૂર્ય મંદિર ખાતે લાઈટ-સાઉન્ડ શોની મુલાકાત
- આ ટૂર માટે વ્યક્તિ દીઠ 1100 રૂપિયા ચૂકવવાના રહેશે
આ પણ વાંચો – Monsoon 2025: ધરતીપુત્રો માટે સારા સમાચાર
વધુ માહિતી અને એડવાન્સ ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે GSRTCની વેબસાઈટ www.gsrtc.inની મુલાકાત લેવાની રહેશે. ખાસ વાત, તમામ ટૂર પેકેજમાં ભોજન અને અન્ય વ્યક્તિગત ખર્ચ પ્રવાસીએ જાતે ભોગવવાનો રહેશે. રાજ્ય સરકારના આ પ્રયાસથી પ્રવાસીઓને ગુજરાતના ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળોની મુલાકાતનો લાભ આરામદાયક અને એફોર્ડેબલ ભાવે મળશે.