DGCA એ શુક્રવારે એર ઇન્ડિયાના બોઇંગ 787 ડ્રીમલાઇનર કાફલાની સલામતી તપાસનો આદેશ આપ્યો હતો. 12 જૂને અમદાવાદ Air India Plane Crash પછી આ આદેશ જારી કરવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે દરેક ઉડાન પહેલાં બોઇંગના 787-8 અને 787-9 વિમાનોની તપાસ કરવામાં આવશે. બધા રિપોર્ટ DGCA ને સુપરત કરવામાં આવશે. DGCA એ એર ઇન્ડિયાને GenX એન્જિન સાથે બોઇંગ 787-8 અને 787-9 વિમાનોની વધારાની જાળવણી કરવાનો નિર્દેશ આપ્યો છે. આ આદેશ 15 જૂનથી અમલમાં આવશે. Tata Group ના એર ઇન્ડિયાના કાફલામાં 26 બોઇંગ 787-8 અને 7 બોઇંગ 787-9 છે.
Ahmedabad વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર મુસાફર રમેશ વિશ્વાસ કુમારે કહ્યું કે મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે હું જીવતો કેવી રીતે બહાર નીકળી ગયો. કદાચ દરવાજો તૂટી ગયો હતો અને હું સીટ સાથે નીચે પડી ગયો હતો. મને કંઈ યાદ નહોતું. રમેશ કુમાર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. શુક્રવારે PM Modi તેમને મળ્યા હતા અને તેમના ખબરઅંતર પૂછ્યા હતા. બંનેએ લગભગ 10 મિનિટ સુધી વાત કરી હતી.

આ પછી રમેશે DD News ને જણાવ્યું હતું કે PM મોદીએ તેમના ખબરઅંતર પૂછ્યા હતા અને પૂછ્યું હતું કે અકસ્માત કેવી રીતે થયો. રમેશ વિમાનની સીટ 11A પર બેઠો હતો. અકસ્માત પછી, તે જાતે જ અકસ્માત સ્થળ પરથી બહાર નીકળી ગયો હતો.
આ પણ વાંચો – Honeymoon Murder Case: પતિ રાજાની હત્યાના કાવતરામાં સામેલ સોનમ
એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI-171 (બોઇંગ 787 ડ્રીમલાઇનર પ્લેન) અમદાવાદથી લંડન જઈ રહી હતી. ગુરુવારે બપોરે 1.40 વાગ્યે તે ક્રેશ થયું. તેમાં કુલ 230 મુસાફરો હતા, જેમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. બાકીના 12 ક્રૂ મેમ્બર હતા. એક મુસાફર બચી ગયો. માહિતી અનુસાર, અકસ્માત સમયે બિલ્ડિંગમાં 50 થી 60 ડોકટરો હાજર હતા, જેમાંથી 15 થી વધુ ઘાયલ થયા છે. અકસ્માત સ્થળેથી મળેલા મોટાભાગના મૃતદેહો સંપૂર્ણપણે બળી ગયા હતા.