Prime Minister Narendra Modi એ ફરી એકવાર ‘Pariksha Pe Charcha’ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ ટિપ્સ આપી. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ Students ને જણાવ્યું કે સ્વસ્થ રહેવું કેટલું મહત્વપૂર્ણ છે. આ માટે પ્રધાનમંત્રી મોદીએ વિદ્યાર્થીઓને Health Tips પણ આપી. આ ઉપરાંત, પ્રધાનમંત્રી મોદીએ વિદ્યાર્થીઓને ધ્યાન કેન્દ્રિત કરવાનું પણ શીખવ્યું. આ માટે તેમણે ક્રિકેટ અને ક્રિકેટરોનું ઉદાહરણ પણ આપ્યું.
Pariksha Pe Charcha ની વિશેષ વાતો
- તમારે હંમેશા તમારી જાતને પડકારતા રહેવું જોઈએ
- લીડર બનવા માટે ‘જહાં કમ, વહાં હમ’ની ભાવના જરૂરી
- બાળકોને પુસ્તકોની જેલ નહીં, ખુલ્લું આકાશ જોઈએ
- બધાની પાસે 24 કલાક છે, ટાઇમ મેનેજમેન્ટ શીખવું જરૂરી
- તમારા મનની વાત તમારા માતા-પિતાને કહો, તમે ક્યારેય તણાવમાં નહીં રહો
- મુશ્કેલીઓ અને ચિંતાઓથી મુક્તિ મેળવવા માટે પ્રાણાયામ કરો
- લક્ષ્ય હંમેશા એવું હોવું જોઈએ જે પહોંચમાં હોય, પણ પકડમાં નહીં
- માતાપિતા અને શિક્ષકોએ બાળકો પરનું દબાણ ઘટાડવું જોઈએ, વધારવું જોઈએ નહીં
- પરીક્ષાના તણાવને દૂર કરવા માટે બાળકોને પ્રધાનમંત્રી મોદીએ આપ્યો મંત્ર
- પરીક્ષા એ જીવનનો એક અંગ છે, આખું જીવન નહીં
- તમે આદર માંગી શકતા નથી, તમારે તે કમાવવું પડશે
- લીડર બનવા માટે ટીમવર્ક શીખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે
- ડિપ્રેશનથી બચવા માટે, તમારા પરિવારના સભ્યોને તમારી સમસ્યાઓ વિશે જણાવો
- તમારા બાળકોની સરખામણી બીજા બાળકો સાથે ન કરો
પ્રધાનમંત્રી મોદીએ વિદ્યાર્થીઓને કહ્યું કે અભ્યાસની સાથે સાથે સારી ઊંઘ લેવી પણ ખૂબ જ જરૂરી છે. બાળકોએ Google પર શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તે તપાસવું જોઈએ નહીં, તેમણે જે પણ સ્વસ્થ હોય તે ખાવું જોઈએ. તેમના માતા-પિતા તેમને જે ખવડાવે છે તે ખાઓ અને સ્વસ્થ રહો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે લખવાની આદત ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે ગમે તે લખો, આ આદત તમારા વિચારોને બાંધી દેશે.
આ પણ વાંચો – Delhi Election Results: દિલ્હીના દિલમાં કમળ ખીલ્યું
Parents અંગે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે મારી માતા-પિતાને અપીલ છે કે તમારા બાળકને દરેક જગ્યાએ મોડેલની જેમ ઉભો ન કરો. દુનિયામાં દરેક બાળક સરખા નથી હોતા. કેટલાક બાળકો રમતગમતમાં સારા હોય છે અને અભ્યાસમાં નબળા હોય છે. તેમના માતાપિતા અને શિક્ષકોએ તેમની અંદર છુપાયેલી પ્રતિભાને નિખારવાની જરૂર છે. પીએમ મોદીએ કહ્યું કે કૌશલ્યની શક્તિ અપાર છે. આપણે ફક્ત કૌશલ્ય પર વધુ ધ્યાન આપવું જોઈએ.