Saturday, 15 Mar, 2025
spot_img
Saturday, 15 Mar, 2025
HomeTOP STORIESશું હતા આતંકવાદી પન્નુના નાપાક ઈરાદા?

શું હતા આતંકવાદી પન્નુના નાપાક ઈરાદા?

ખાલિસ્તાની આતંકવાદની કમર તોડવા માટે ભારતે SFJ ચીફ અને આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ વિરુદ્ધ એક નવું ડોઝિયર તૈયાર કર્યું છે. આ ડોઝિયરમાં ખુલાસો થયો છે કે

Share:

ખાલિસ્તાની આતંકવાદની કમર તોડવા માટે ભારતે SFJ ચીફ અને આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ વિરુદ્ધ એક નવું ડોઝિયર તૈયાર કર્યું છે. આ ડોઝિયરમાં ખુલાસો થયો છે કે પન્નુ માત્ર ખાલિસ્તાન બનાવવા માંગતો નથી પરંતુ તે ભારતના ટુકડા કરવા અને ધર્મના આધારે ઉર્દૂસ્તાન બનાવવાની પણ ઈચ્છા ધરાવે છે,

પ્રતિબંધિત ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)ના ચીફ હરદીપ સિંહ નિજ્જરની 18 જૂને કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કેનેડાના સાંસદ જસ્ટિન ટ્રુડોએ ભારત સરકાર પર આ હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો, જે બાદ બંને દેશો વચ્ચે તણાવ ચરમ પર છે. હવે ભારતે વિદેશમાં બેસીને ભારત વિરુદ્ધ ષડયંત્ર રચી રહેલા ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુનો પર્દાફાશ કરવા માટે એક નવું ડોઝિયર તૈયાર કર્યું છે. આ ડોઝિયરમાં ખુલાસો થયો છે કે પન્નુ માત્ર ખાલિસ્તાન બનાવવા માંગતો ન હતો પરંતુ ઉર્દૂસ્તાન બનાવવાની પણ ઈચ્છા ધરાવે છે.

આ ડોઝિયરમાં SFJ ચીફ અને આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુના પ્લાનિંગનો સંપૂર્ણ ઇન્ટેલિજન્સ રિપોર્ટ છે કે તે કેવી રીતે ભારતને વિખેરી નાખવા માંગે છે. નવા ડોઝિયર મુજબ, પન્નુ વિરુદ્ધ દેશભરમાં 16 કેસ નોંધાયા છે, આ કેસો તેની વિરુદ્ધ દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને ઉત્તરાખંડમાં ખાલિસ્તાની ચળવળના સંબંધમાં નોંધવામાં આવ્યા છે,.પન્નુ પંજાબને ભારતથી અલગ કરવાની માંગણી કરતા રહે છે. 7 જુલાઈ 2022ના રોજ ગૃહ મંત્રાલયે તેને આતંકવાદી જાહેર કર્યો હતો.

પન્નુના નાપાક ઈરાદા
પન્નુ ભારતને ટુકડાઓમાં વહેંચીને બનાવવા માંગે છે બીજા દેશો  
પન્નુ ધાર્મિક આધાર પર ઈચ્છે છે વિભાજન
પન્નુ દેશના મુસલમાનો સાથે બનાવવા માંગે છે એક મુસ્લિમ દેશ  
જેનું નામ રાખવા માંગે છે ઉર્દૂસ્તાન ડેમોક્રેટિક રિપબ્લિક  
તે કાશ્મીરને ભારતથી અલગ કરવા પણ કરી રહ્યો છે ષડયંત્ર

પન્નુની ક્રાઇમ કુંડળી:

દેશવિરોધી પ્રવૃતિઓ માટે અલગ-અલગ રાજ્યોમાં કુલ 16 કેસ નોંધાયા છે.
પંજાબના સરહિંદમાં તેની સામે UAPA હેઠળ કેસ નોંધાયો છે.  
અમૃતસરમાં UAPA હેઠળ 4 કેસ નોંધાયા છે.
દિલ્હીમાં UAPA હેઠળ 4 કેસ નોંધાયા છે.
આ ઉપરાંત ગુરુગ્રામ, ધર્મશાળા અને NIAમાં UAPA હેઠળ કેસ નોંધાયો છે.

આ રીતે, તેને UAPA એટલે કે ગેરકાયદેસર પ્રવૃત્તિ (નિવારણ) અધિનિયમ હેઠળ કુલ 9 કેસમાં આરોપી ગણવામાં આવ્યો છે.

આ સિવાય પન્નુએ ઓડિયો વોઈસ મેસેજ મોકલીને ઘણી વખત ભારતની એકતા અને અખંડિતતાને પડકાર ફેંક્યો છે. પન્નુએ પંજાબ, દિલ્હી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં તેના સાગરિતો દ્વારા ખાલિસ્તાની પોસ્ટરો અને ધ્વજ લગાવવાનો ઘણી વખત પ્રયાસ કર્યો છે


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments