Saturday, 15 Mar, 2025
spot_img
Saturday, 15 Mar, 2025
HomeTOP STORIESChandrayaan-3ની ભવ્ય સફળતા બાદ, ISRO પ્રસ્તુત કરે છે Aditya-L1

Chandrayaan-3ની ભવ્ય સફળતા બાદ, ISRO પ્રસ્તુત કરે છે Aditya-L1

Share:

Chandrayaan-3ને ચંદ્રની ધરતી પર સફળતાપૂર્વક લેન્ડ કરાવીને ભારતીય સ્પેસ રિસર્ચ સેન્ટર(ISRO)એ આખા વિશ્વમાં ભારતનો ડંકો વગાડી દીધો. આખુ જગત આ જોઇને ચોંકી ઉઠ્યું હતું. હજુ તો વિશ્વ આખુ ભારતની પ્રશંસા કરવામાં વ્યસ્ત હતું, ત્યાંતો માત્ર 12 દિવસના નજીવા અંતરાલમાં જ ISROએ સૂર્યયાન એટલે કે ADITYA L1નું સફળ લોન્ચિંગ કરી દીધું છે. આજે 2 સપ્ટેમ્બરના શનિવારના રોજ બપોરે બરોબર 11.50 કલાકે શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી ઇસરોએ આદિત્ય-L1નું સફળ લોન્ચિંગ કરી દીધું છે. આદિત્ય-L1 ઘણી લાંબી મજલ કાપીને છેક સૂર્યની નજીક નિર્ધારિત પોઇન્ટ પર પહોંચશે અને સૂર્યની ઘણી જાણ્યા અજાણ્યા રહસ્યો પરથી પરદો ઉચકશે.

ADITYA-L1 125 દિવસ બાદ તેના નિર્ધારિત ગંતવ્ય પોઇન્ટ પર પહોંચશે. ઈસરોની આ વધુ એક સફળતા પર આખો દેશ તો રાજીનો રેડ છે જ, પરંતુ વિશ્વ ફલકે પણ તેની વાહવાહી થઇ રહી છે. એટલું જ નહીં ખૂદ પાકિસ્તાની મીડિયા પણ ભારતની પ્રશંસા કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ISROની આખી ટીમને શુભેચ્છા પાઠવી છે.

આદિત્ય-L1 16 દિવસ સુધી પૃથ્વિના ચક્કર લગાવશે, ત્યાર પછીના 110 દિવસમાં તે 15 લાખ કિમીનું અંતર કાપીને L1 પોઇન્ટ પર પહોંચશે. થ્રસ્ટર દ્વારા આદિત્યને L-1 બિંદુમાં દાખલ કરાશે. આ બિંદુ એવું છે જ્યાં પૃથ્વિ અને સૂર્યના ગુરૂત્વાકર્ષણબળનો પ્રભાવ નથી હોતો જ્યાં આદિત્ય મુક્તપણે સ્થિર થઇ શકશે અને સૂર્યના અનેક રહસ્યો નજીકથી જોઇને ઇસરોની ટીમને અવગત કરાવશે.

Best offer in Computer and Laptop
Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments