Saturday, 15 Mar, 2025
spot_img
Saturday, 15 Mar, 2025
HomeNATIONALદિવાળી પહેલા રેલવે કર્મચારીઓને કેન્દ્ર સરકારની ભેટ

દિવાળી પહેલા રેલવે કર્મચારીઓને કેન્દ્ર સરકારની ભેટ

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા દિવાળી પૂર્વે સરકારી કર્મચારીઓને એક વિશેષ ભેટ આપવામાં આવી હતી. DA એટલે કે મોંઘવારી ભથ્થું વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો

Share:

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા દિવાળી પૂર્વે સરકારી કર્મચારીઓને એક વિશેષ ભેટ આપવામાં આવી હતી. DA એટલે કે મોંઘવારી ભથ્થું વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણય બાદ હવે રેલવે બોર્ડ દ્વારા પણ આવું જ એક પગલું ભરવામાં આવ્યું છે. રેલવે બોર્ડે કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કર્યો છે.. એટલે કે બેઝિક સેલેરીના 42 ટકાથી વધારીને 46 ટકા કરી દીધું છે. આ વધારો 1લી જુલાઈથી ગણવામાં આવશે. રેલવે બોર્ડે 23મી ઓક્ટોબર, 2023ના ઓલ ઇન્ડિયા રેલવેઝ એન્ડ પ્રોડક્શન યુનિટ્સના મેનેજર અને મુખ્ય વહીવટી અધિકારીઓને આ અંગે પત્ર લખ્યો હતો. જણાવીએ કે રેલવે બોર્ડ તરફથી આ જાહેરાત કેન્દ્રીય મંત્રી મંડળ તરફથી 15 હજાર કરોડ રૂપિયાના બોનસને મંજૂરી આપ્યા બાદ કરવામાં આવી છે.

રેલવે કર્મચારી સંઘો તરફથી દિવાળી અગાઉ આ જાહેરાતને ખૂબ આવકારવામાં આવી છે. ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનના મહાસચિવ શિવ ગોપાલ મિશ્રાએ કહ્યું કે કર્મચારીઓને જુલાઈથી DA મળવાનું હતું એટલે આ વધારો મેળવવો એ કર્મચારીઓનો અધિકાર હતો. હું દિવાળી પહેલા તેની ચુકવણીની જાહેરાતને આવકારું છું. નેશનલ ફેડરેશ ઓફ ઇન્ડિયન રેલવેમેનના મહાસચિવ એમ રાઘવૈયાએ કહ્યું કે આ નિર્ણયનો અર્થ એ થાય છે કે કર્મચારીઓ પર મોંઘવારીની કોઈ અસર નહીં પડવા દેવામાં આવે.

આ પહેલા કેન્દ્રીય કેબિનેટ તરફથી રેલવે કર્મચારીઓ માટે 78 દિવસના બોનસની જાહેરાત કરવામાં આવી હતી. અને દિવાળી પહેલા જ એ બોનસની ચુકવણી પણ કરવામાં આવશે. જેનાથી રેલવે કર્મચારીઓની દિવાળી આ વર્ષે ખૂબ શુભ રહેવાની છે.


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments