Monday, 23 Jun, 2025
spot_img
Monday, 23 Jun, 2025
HomeNATIONALTatkal Ticket: 15 જુલાઈ, 2025 થી ફરજિયાત થશે આ નિયમ

Tatkal Ticket: 15 જુલાઈ, 2025 થી ફરજિયાત થશે આ નિયમ

Share:

જો તમે ટ્રેનમાં મુસાફરી કરવા માંગતા હોવ, તમારા પરિવાર સાથે ક્યાંક જવા માંગતા હોવ અને Tatkal Ticket માં તમને રિઝર્વેશન ન મળી રહ્યું હોય. તો તમારા માટે આ માહિતી જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. Ministry of Railways તત્કાલ ટિકિટ સિસ્ટમમાં મોટો ફેરફાર કર્યો છે. આ સિસ્ટમ ટૂંક સમયમાં દેશભરમાં લાગુ કરવામાં આવશે.

હવે Tatkal Ticket દ્વારા મુસાફરી કરતા મુસાફરો માટે રેલવેમાં સફર સરળ બનશે. રેલવે તત્કાલ ટિકિટની સિસ્ટમથી મુસાફરોને એક અનોખી ભેટ આપવા જઈ રહ્યું છે.

  • તત્કાલ ટિકિટ ફક્ત IRCTC વેબસાઇટ અથવા એપ પર જ બુક કરવામાં આવશે.
  • બુકિંગ ફક્ત આધાર આધારિત OTP ઑથેન્ટિકેશન ધરાવતા ગ્રાહકો દ્વારા જ શક્ય બનશે
  • આધાર આધારિત OTP ઑથેન્ટિકેશન 15 જુલાઈ, 2025 થી ફરજિયાત રહેશે
  • આ સુધારો 1 જુલાઈ, 2025 થી અમલમાં આવશે

OTP ઑથેન્ટિકેશન પછી જ કોમ્પ્યુટરાઈઝ્ડ PRS કાઉન્ટર અથવા અધિકૃત એજન્ટ દ્વારા તત્કાલ ટિકિટ બુકિંગ શક્ય બનશે. ગ્રાહકના રજિસ્ટર્ડ મોબાઇલ પર OTP મોકલવામાં આવશે. આ સિસ્ટમ 15 જુલાઈ, 2025 થી અમલમાં આવશે. તત્કાલ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં સામાન્ય ગ્રાહકો માટેનો સમય વધારવામાં આવ્યો છે. અધિકૃત એજન્ટો તત્કાલ ટિકિટ બુકિંગના પહેલા 30 મીનિટમાં ટિકિટ બુક કરી શકશે નહીં. એર કન્ડિશન્ડ કેટેગરી માટે બુકિંગ સવારે 10 વાગ્યાથી શરૂ થશે. જ્યારે એજન્ટ 10.30 વાગેથી જ બુક કરી શકશે. નોન-એર-કન્ડિશન્ડ કેટેગરી માટે બુકિંગ સવારે 11 વાગેથી શરૂ થશે અને એજન્ટો 11.30 વાગ્યાથી બુકિંગ કરી શકશે.

આ પણ વાંચો – Vijay Rupani: રાજકીય સન્માન સાથે અપાઈ વિદાય

રેલવે મંત્રાલયે તેના નોટિફિકેશનમાં તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર કરીને સામાન્ય મુસાફરોની મુસાફરીને સરળ બનાવવાનો નિર્ણય લીધો છે. આ સાથે, ટિકિટ બુકિંગ સિસ્ટમ દ્વારા એજન્ટોનો સમય ઘટાડીને સામાન્ય લોકોને મહત્તમ મુસાફરી લાભ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments