Paris Olympics 2024: ભારતીય કુસ્તીબાજ Aman Sehrawatનું શાનદાર પ્રદર્શન… પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો.
Aman Sehrawat બ્રોન્ઝ મેડલ મેચઃ અમનને સેમિફાઈનલ મેચમાં જાપાનના રેઈ હિગુચીના હાથે 0-10થી હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે હવે અમાને બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. અમન ઓલિમ્પિકમાં મેડલ જીતનારો સાતમો ભારતીય કુસ્તીબાજ બની ગયો છે.
અમને ગુરુવારે પ્રી-ક્વાર્ટર ફાઇનલ્સ અને ક્વાર્ટર ફાઇનલમાં સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ પુરુષોની 57 કિગ્રા ફ્રી સ્ટાઇલ વર્ગની સેમિફાઇનલમાં ટોચના ક્રમાંકિત જાપાનના રેઇ હિગુચી સામે એકતરફી રીતે હારી ગયો હતો. જોકે તે બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યો હતો.
ભારતીય કુસ્તીબાજ Aman Sehrawatએ શાનદાર પ્રદર્શન કર્યું અને પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. 21 વર્ષીય અમને બ્રોન્ઝ મેડલ મેચમાં પ્યુર્ટો રિકોના ડેરિયન ટોઇ ક્રુઝને 13-5ના માર્જિનથી હરાવ્યો હતો.
અગાઉ, છત્રસાલ અખાડાના પ્રતિભાશાળી કુસ્તીબાજ અમને ગુરુવારે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં અને ક્વાર્ટર ફાઇનલમાં સારું પ્રદર્શન કર્યું હતું,, પરંતુ પુરુષોની 57 કિગ્રા ફ્રી સ્ટાઇલની સેમિફાઇનલમાં ટોચના ક્રમાંકિત જાપાનના રેઇ હિગુચી સામે એકતરફી મેચમાં હારી ગયો હતો.
અમન ગુરુવારે મેડલ મેળવવાથી ચૂકી ગયો હતો, પરંતુ તેણે બ્રોન્ઝ મેડલ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. અને પેરિસ ગેમ્સમાં દેશને છઠ્ઠો મેડલ અપાવ્યો. ભારતે પેરિસ ઓલિમ્પિકમાં અત્યાર સુધીમાં કુલ છ મેડલ જીત્યા છે, જેમાં પાંચ બ્રોન્ઝ અને એક સિલ્વરનો સમાવેશ થાય છે.
મેચની શરૂઆતથી જ આગળ ચાલી રહેલ અમન
પહેલા રાઉન્ડમાં જ 6-3થી આગળ હતો. બીજા રાઉન્ડમાં અમાને આ લીડને વધુ વધારી અને ક્રૂઝને કોઈ તક આપી નહીં. આ રીતે Aman Sehrawatએ જીત મેળવી હતી. પેરિસ ઓલિમ્પિકમાં અમન ભારતનો એકમાત્ર પુરુષ કુસ્તીબાજ હતો. જોકે, તેણે કુસ્તીમાં મેડલનો સિલસિલો જારી રાખ્યો હતો.
2008 બેઇજિંગ ઓલિમ્પિક બાદથી ભારત દરેક ઓલિમ્પિકમાં કુસ્તીમાં મેડલ જીતી રહ્યું છે. 2008માં સુશીલ કુમારે બ્રોન્ઝ જીત્યો હતો. 2012માં સુશીલે સિલ્વર અને યોગેશ્વર દત્તે બ્રોન્ઝ જીત્યો હતો. 2016માં સાક્ષી મલિકે બ્રોન્ઝ જીત્યો હતો., 2020 ટોક્યો ઓલિમ્પિક્સમાં રવિ દહિયાએ સિલ્વર અને બજરંગ પુનિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
Aman Sehrawatની આ પ્રથમ ઓલિમ્પિક હતી અને તેણે તેની પહેલી જ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ રીતે અમને ઓલિમ્પિકમાં કુસ્તીમાં ભારતના મેડલનું ખાતું ખોલાવ્યું છે. વિનેશ ફોગાટને અયોગ્ય જાહેર કર્યા બાદ તેણે ભારતને ખુશી આપી છે જે નિરાશામાં હતી.