પહલગામ આતંકી હુમલા બાદ ભારત દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે ભારત સરકારે ગૃહ મંત્રાલયની ભલામણો બાદ Pakistani YouTube Channels પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ ચેનલોમાં પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તર અને આરઝૂ કાઝમી જેવી ઘણી મોટી YouTube ચેનલો પણ સામેલ છે. આ સાથે ભારતમાં ઘણા મોટા મીડિયા હાઉસની યુટ્યુબ ચેનલો પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આતંકવાદીઓને ‘ઉગ્રવાદી’ કહેવા માટે બીબીસીને પત્ર મોકલવામાં આવ્યો છે.
આ પણ વાંચો – Pahalgam Terror Attack: મોદી સરકારના પાંચ નિર્ણયો પાકિસ્તાનની લાવશે શાન ઠેકાણે
ગૃહ મંત્રાલયની ભલામણોને પગલે, ભારત સરકારે ગત સપ્તાહે 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરમાં Pahalgam Terror Attack બાદ ભારત, તેની સૈન્ય અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ભડકાઉ અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ કન્ટેન્ટ, જૂઠ્ઠાણા અને ખોટી માહિતી ફેલાવવા માટે ઘણી પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે.
પાકિસ્તાની ચેનલો પર પ્રતિબંધ અંગે મંત્રાલય સાથે સંકળાયેલા એક અધિકારીનું કહેવું છે કે પાકિસ્તાની યુટ્યુબ ચેનલોને ભડકાઉ, સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ કન્ટેન્ટ અને ભારત વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવવા માટે બ્લોક કરવામાં આવી છે. પાકિસ્તાનની જે 16 યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમાં શોએબ અખ્તરની ચેનલ તેમજ ત્યાંના ઘણા મોટા મીડિયા હાઉસની યુટ્યુબ ચેનલોનો સમાવેશ થાય છે. મુખ્ય છે ડૉન ન્યૂઝ, સમા ટીવી, ARY ન્યૂઝ, બોલ ન્યૂઝ, રફ્તાર ટીવી, ધ પાકિસ્તાન રેફરન્સ, જીઓ ન્યૂઝ, સમા સ્પોર્ટ્સ અને ઉઝૈર ક્રિકેટ.