Saturday, 15 Mar, 2025
spot_img
Saturday, 15 Mar, 2025
HomeBUSINESSહિંડનબર્ગના રિપોર્ટમાં એવું તો શું છે જેણે અદાણીને હચમચાવી નાખ્યા!

હિંડનબર્ગના રિપોર્ટમાં એવું તો શું છે જેણે અદાણીને હચમચાવી નાખ્યા!

Share:

અદાણી જૂથને હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ ઘણાં ધક્કા લાગ્યાં છે. જો કે અદાણી માટે સ્થિતિ ધીમેધીમે બદલાઇ રહ્યાં છે. સૌથી મોટી વાત એ છે કે અદાણીના સમર્થનમાં એક પછી એક દિગ્ગજો આવી રહ્યાં છે. તો સામે પક્ષે હિંડનબર્ગના કેટલાંક ચોંકાવનારા તથ્યો પણ સામે આવી રહ્યાં છે. ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું હિંડનબર્ગનો રિપોર્ટ એક સુનિયોજિત ષડયંત્ર તો નથીને?

અદાણી જૂથનું મોટું પગલું

અદાણીએ હિંડનબર્ગના રિપોર્ટ બાદ પોતાના તરફ ઉઠી રહેલાં સવાલોના એક પછી એક જવાબ આપવાનું શરૂ કર્યું છે. અદાણી જૂથે જાહેરાત કરી છે કે પોતાના ગિરવી રાખેલાં 111.17 કરોડ ડૉલરના શેર માટે પાકતી તારીખ પૂર્વે જ રોકાણકારોને નાણાં પરત આપશે. આ શેરની પાકતી તારીખ સપ્ટેમ્બર, 2024માં હતી. પરંતુ આટલાં એડવાન્સમાં નાણાં પરત આપવાની જાહેરાતને અદાણી જૂથનું ખુબ મોટું પગલું માનવામાં આવે છે.

અદાણી જૂથને ચોમેરથી સમર્થન

શૉર્ટ સેલિંગ કરીને નફો કમાવવાના ષડયંત્રનો જેમની સામે આરોપ છે તે હિંડનબર્ગનો રિપોર્ટ જ હવે શંકાના ઘેરામાં આવી રહ્યો છે. આ રિપોર્ટ જાહેર થવો અને એના ટાઇમિંગને લઈને અનેક સવાલો ઉઠી રહ્યાં છે..અદાણી સામેનો આ રિપોર્ટ એ ભારત સામેનો સુનિયોજિત હુમલો છે. આવું કહેવું છે પૂર્વ સોલિસિટર જનરલ હરીશ સાલ્વેનું તેમણે હિંડનબર્ગના રિપોર્ટને બકવાસ ગણાવ્યો છે. રિપોર્ટ આવ્યાં બાદ ભારતના શેરબજારના નિષ્ણાતોએ હિંડનબર્ગ અને તેની કંપનીની કાળી કરતૂત લોકો સામે મુકી છે.. હિંડનબર્ગ સામે અમેરિકામાં તપાસ ચાલી રહી છે અને તે વાત છૂપાવવામાં આવી હોવાનું કહેવાય છે ત્યારે દેશ-વિદેશની અનેક જાણીતી હસ્તીઓ-સંસ્થાઓ અદાણી જૂથના સમર્થનમાં આવી રહ્યાં છે. પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે પણ અદાણીનું સમર્થન કરતાં કહ્યું કે આ ગોરાઓનું ષડયંત્ર છે, જેમનાથી ભારતની પ્રગતિ જોવાતી નથી. બેન્ક ઓફ બરોડાએ આજે પણ અદાણીને લૉન આપવા તૈયાર હોવાનું જણાવ્યું તો ગોલ્ડનમેન શાસે પણ અદાણી મુદ્દે રાહત આપતું સ્ટેટમેન્ટ આપ્યું. ગોલ્ડમેન શાસે કહ્યું કે અદાણીના ડેટની સ્થિતિ સંતોષજનક છે..સૌથી મહત્વની વાત છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ હવે અદાણી જૂથની છે. તેમણે પોતાના મુખપત્રમાં લખ્યું છે કે હિંડનબર્ગનો રિપોર્ટ એ વામપંથીઓનું ષડયંત્ર છે. આ તરફ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા પણ અદાણીના સમર્થનમાં આવ્યાં છે. તો વરિષ્ઠ પત્રકાર હર્ષવર્ધન ત્રિપાઠીએ પણ ષડયંત્રની આશંકા વ્યક્ત કરી છે.

સવાલોના ઘેરામાં હિંડનબર્ગ!

રિપોર્ટ આવ્યા બાદની મહત્વની વાત પર નજર કરીએ તો .. GFX IN 24 જાન્યુઆરીએ 106 પેજની રિપોર્ટ જાહેર કરી અદાણી ગ્રુપ પર લગાવ્યા આરોપ.. 27 જાન્યુઆરીએ અદાણી એન્ટરપ્રાઈઝ 20,000 કરોડનો FPO લાવ્યા હતા. પહેલા દિવસે માત્ર 1 ટકા સબ્સક્રીપ્શન મળ્યા.. આ ઓફરની પ્રાઇસ બેન્ડ 3112થી 3276 રૂપિયા પ્રતિ શેર હતી.બાદમાં જાન્યુઆરી 29એ અદાણી એન્ટરપ્રાઇઝિસનો FPO સંપૂર્ણ રીતે સબસ્ક્રાઇબ થયો. તે જ દિવસે અદાણી ગ્રુપે હિંડનબર્ગના અહેવાલને ખોટો ગણાવ્યો.. અને તમને પર લાગેલા તમામ આરોપોને 413 પાનાના જવાબ સાથે રજૂ કરી આરોપો નકાર્યા.. 1 ફેબ્રુઆરીએ અદાણી ગ્રૂપે 20,000 કરોડના સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ કરેલા FPO રદ કર્યા અને રોકાણકારોના નાણાં પરત કર્યા.. 2 ફેબ્રુઆરીએ ગૌતમ અદાણીએ FPO રદ કર્યા પછી સંદેશ આપી પોતાના વિરુદ્ધ ષડયંત્રના આરોપ લગાવ્યા હતા.. તો ત્રીજી ફેબ્રુઆરીએ એડવોકેટ એમએલ શર્માએ હિંડનબર્ગ રિસર્ચના સ્થાપક નાથન એન્ડરસન અને તેના સહયોગીઓ સામે રોકાણકારોનું શોષણ અને છેતરપિંડી કરવા બદલ ફરિયાદ દાખલ કરી હતી.

સવાલોના ઘેરામાં હિંડનબર્ગ!

ગૌતમ અદાણીના શેરમાં ભારે ઘટાડા બાદ નેટવર્થ 90 બિલિયન થઈ છે. ગયા વર્ષે તે 150 બિલિયનની નજીક હતી.. ફોર્બ્સની જાહેર કરાયેલી દુનિયાના સૌથી ધનિકોની યાદીમાં અદાણી 21માં સ્થાને છે. ગત શુક્રવારે તેઓ 22માં ક્રમ પર પહોંચ્યા હતા.. 27 ફેબ્રુઆરી પહેલા અદાણી વિશ્વના ત્રીજા અને એશિયામાં પહેલા નંબરના ધનિક હતા.. પરંતુ હિંડનબર્ગના રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર પાંચ આરોપ મૂકવામાં આવ્યા હતા.. અદાણી પર આરોપની વાત કરીએ તો અદાણી ગ્રુપની કંપનીઓએ પોતાના શેરની કિંમતની સાથે છેડછાડ કરી..આ ઉપરાંત મની લોન્ડરિંગ અને એકાઉન્ટ ફ્રોડ કર્યું 8 વર્ષ દરમિયાન 5 CFO બદલ્યા.. ગ્રુપની 7 કંપનીના શેરની કિંમત 85 ટકા વધુ દર્શાવી. અદાણી ગ્રુપ પર 2.20 લાખ કરોડનું દેવું કંપનીની વેલ્યૂ કરતાં વધારે હોવાનો આક્ષેપ કર્યો.. તો પાંચમો આરોપ એવો કર્યો કે, મોરેશિયસ અને અન્ય દેશમાં અદાણી ગ્રુપે પૈસા મોકલીને પોતાના જ શેર લેવડાવ્યા.

સવાલોના ઘેરામાં હિંડનબર્ગ!

અમેરિકાના શોર્ટ સેલરના રિપોર્ટ બાદ અદાણીના શેર સતત ઘટી રહ્યા છે.. આજે પણ બજાર ખૂલતાં અદાણીના શેરમાં 5 ટકાનો ઘટાડો નોંધાયો હતો.. રિપોર્ટ આવ્યાના 12 દિવસ દરમિયાન અદાણી જૂથના શેર 60 ટકા તૂટયા છે.. જો કે ચોતરફી ઘટનાક્રમ જોતાં અદાણી વિરુદ્ધ ખુબ મોટું ષડયંત્ર હોવાની વાત પર તપાસની માગ પણ હવે ઉઠવા લાગી છે.


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments