Pahalgam Terror Attack બાદ ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી છે. પ્રધાનમંત્રી Narendra Modiની અધ્યક્ષતામાં CCS Meeting માં પાંચ મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠક અઢી કલાક સુધી ચાલી હતી. જેમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, વિદેશમંત્રી એસ. જયશંકર, NSA અજીત ડોભાલ સહિત ઘણા અધિકારીઓ હાજર રહ્યા હતા. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું, “પહલગામ આતંકવાદી હુમલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેબિનેટ સુરક્ષા સમિતિ (CCS) એ મોટા નિર્ણયો લીધા છે.”
મોદી સરકારના પાંચ નિર્ણયો
- અટારી બોર્ડર ચેકપોસ્ટ બંધ કરવામાં આવશે.
- સિંધુ જળ સંધિ પણ અટકાવી દીધી.
- પાકિસ્તાન સાથે રાજદ્વારી સંબંધોનો અંત.
- ભારતમાં હાજર પાકિસ્તાની નાગરિકોને 48 કલાકની અંદર દેશ છોડી દેવાનો નિર્દેશ.
- પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસ બંધ કરવામાં આવશે.
સરકારે ગુરુવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. બીજી તરફ, બુધવારે પહલગામના બૈસરનમાં આતંકવાદી હુમલાના બીજા દિવસે શ્રીનગરથી દિલ્હી સુધી શ્રેણીબદ્ધ બેઠકો યોજાઈ હતી. પહલગામ હુમલામાં 26 લોકોના મોત થયા છે. જેમાં એક નેપાળી નાગરિક પણ છે. જ્યારે 20 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલો 22 એપ્રિલે થયો હતો જ્યારે બૈસારન ઘાટીમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ હાજર હતા. મૃતકોમાં યુપી, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને ઓડિશાના પ્રવાસીઓનો સમાવેશ થાય છે. નેપાળ અને યુએઈના એક-એક પ્રવાસી અને બે સ્થાનિકોના પણ મોત થયા છે.
આ પણ વાંચો – Pahalgam Terror Attack: પુલવામા હુમલા બાદનો સૌથી મોટો આતંકી હુમલો
અહીં સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓએ પહેલગામ હુમલાના શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે. તેમના નામ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા હોવાનું કહેવાય છે. ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું કે હુમલાનો માસ્ટરમાઈન્ડ લશ્કર-એ તૈયબાનો નાયબ ચીફ સૈફુલ્લા ખાલિદ છે, જે પાકિસ્તાનમાં હાજર છે. આ હુમલામાં 5 આતંકવાદીઓ સામેલ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જેમાંથી બે સ્થાનિક અને ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ હતા.